Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભિક્ષુપ્રતિમાપારીકે ગોચરકાલકા વર્ણન
હવે ગેરીના કાલમાં અભિગ્રહનું વર્ણન કરતાં પ્રથમ ભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારના ગોચરીકાલનું વર્ણન કરે છે – “જાતિયં ” ઈત્યાદિ.
ગોચર શબ્દનો અર્થ થાય છે કે – જોવિ વર-જવર જેમ ગાય જ્યાં નાનાં નાનાં તૃણ આદિ જુએ છે ત્યાં થોડું-થોડું ગ્રહણ કરે છે, અને જ્યાં વધારે તૃણ જુએ છે ત્યાં પૂર્વની અપેક્ષાથી અધિક ગ્રહણ કરે છે, ગધેડાની પેઠે તૃણ આદિને મૂળથી જ ઉખેડી નાખતી નથી, એવી જ રીતે મુનિ પણ ગૃહસ્થને ઘેર યથાવસર અને યથાસામગ્રી અશન આદિનું ગ્રહણ કરે છે તે ગોચર કહેવાય છે
તથા જેવી રીતે કઈ સ્ત્રી પર્વ આદિમાં ગોગ્રાસ દેવા માટે અનેક પ્રકારનાં આભૂષણ પહેરીને ગાયની પાસે જાય છે તે ગાય તે સ્ત્રીનાં આભૂષણ આદિને જોતી નથી માત્ર ગ્રાસની તરફ જ જુએ છે, તેવી જ રીતે સાધુ પણ, જે ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે જાય છે ત્યાં તે સ્ત્રીના રૂપ લાવણ્ય આદિને નહિ જોતાં માત્ર શુદ્ધા-શુદ્ધિને માટે આહાર આદિની તરફજ જુએ છે.
ગોચરના ત્રણ કાલ છે. (૧) આદિ-અર્થાત્ દિવસના ત્રણ વિભાગ કરીને તેને પ્રથમ ભાગ (૨) મધ્યમ ભાગ, (૩) અન્તિમ ભાગ જે દિવસના પ્રથમ ભાગમાં ભિક્ષા માટે જાય તે મધ્ય ભાગમાં ન જવું જોઈએ, તેમજ ત્રીજા ભાગમાં પણ ન જવું જોઈએ. (૨) જે દિવસના મધ્ય ભાગમાં ભિક્ષા માટે જવાનું હોય તે પ્રથમ ભાગમાં અને અંતિમ ભાગમાં ન જાય. (૨) જે અંતિમ ભાગમાં જવાનું હોય તે પ્રથમ ભાગમાં અને મધ્ય ભાગમાં ન જાય. તાત્પર્ય એ છે કે – પ્રતિમધારી અનગારે એમ કરવું જોઈએ કે દિવસના ત્રણ વિભાગ કરીને પ્રથમ, બીજો અને ત્રીજે. એવા ભાગના ભેદથી કેઈપણ એક ભાગમાં જ ભિક્ષા ગ્રહણ કરવી અનેકવાર નહિ. (સૂ ૫).
વળી ઉત વિષયનું જ વર્ણન કરે છે “” i' ઇત્યાદિ.
ભિક્ષુપ્રતિમાપારીકી ગોચરચર્યાના વર્ણન
માસિક ભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારની છ પ્રકારની ગોચરવિધિ કહી છે જેમકે
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર