Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
| ભિક્ષુપ્રતિમાપારીકા કલ્પવર્ણન
જે ઉપાશ્રયમાં સી અને પુરુષ આવે તો પ્રતિસાધારીએ શું કરવું જોઈએ ? તે કહે છે-“ણિશં ' ઇત્યાદિ.
માસિકી ભક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગાર-મુનિના ઉપાશ્રયમાં સ્ત્રી અને પુરુષ મૈથુનને માટે આવે તે મુનિ જે બહાર હોય તે અંદર ન આવે અને જો અન્દર હોય તે બહાર ન જાય. કિન્તુ મધ્યસ્થ ભાવથી ત્યાંજ પિતાનાં તપ સંયમમાં તલીન રહે. (સૂ ૧૨).
જ્યારે ઉપાશ્રયમાં અગ્નિકાય પ્રજવલિત થાય ત્યારે શું કરવું જોઈએ? તે કહે છે–ભાણિયું of ઇત્યાદિ.
માસિકી ભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન મુનિના ઉપાશ્રયને અગ્નિથી કેઈ બાળી દે તે તે સમય પ્રતિમાપ્રતિપન્ન ભિક્ષુ અંદર હોય તે અગ્નિના ભયથી બહાર ન નિકળે. જે બહાર હોય તો અંદર ન આવે. તે સમયે જે કઈ તેને હાથ પકડીને તેને ખેંચે તે ખેંચવાવાળાને નારિયેલ અને તાલફલની પેઠે અવલખન તથા પ્રલમ્બન ન કરે. અર્થાત્ તેની ભુજા આદિને પકડીને લટકે નહિ, કિન્તુ ઈર્યા–સમિતિને અનુસરીને યુગ્યમાત્ર–ચાર હાથ સુધી ભૂતલને જોતાં નીકળે. (સૂ ૧૩)
હવે પ્રતિમાપ્રતિપન્નના પગમાં જે કાંટા આદિ લાગે તે શું કરવું જોઈએ? તે કહે છે “જાતિ ni ઈત્યાદિ.
માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન સાધુના પગમાં જે લાકડીનું ઠુંઠું, કાંટા, હીરક, અહીં હીરકનો અર્થ અણીવાળું કાષ્ઠ સમજવું જોઈએ, અથવા કાંકરી પ્રવેશ કરે તે તે પ્રતિમાપારીને કાંટા આદિ કાઢવા તથા તેનું વિશોધન–ઉપચાર કરવા કલ્પ નહીં, કિન્તુ તે ઈર્યા-સમિતિને અનુસરી ગમન કરે (સૂ૦ ૧૪) - હવે પ્રતિમા પ્રતિપન્ન મુનિના નેત્રમાં જન્તુ અથવા રજકણ આદિ પડી જાય તે તે શું કરે ? તે કહે છે_*માસ ' ઇત્યાદિ.
માસિક ભિક્ષુપ્રતિમાપ્રતિપન સાધુની આંખમાં જે કોઈ જીવ, બીજ કે ધૂળ પડી જાય તે તેને કાઢવાનું કે વિશોધન-ઉપચાર કરવાનું ક૯પે નહીં. કિન્તુ ઈ– સમિતિ અનુસાર વિહાર કરે કલ્પ. જો મચ્છર આદિ પ્રાણ આંખમાંથી જીવતું નીકળવાની સંભાવના હોય તે તે જીવને કાઢવાનું કલ્પ (સૂ. ૧૫)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૭૪