Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 77
________________ વાળા કુળ પાસેથી ઉછે ડુ-થોડું લેવું. ઉંછ બે પ્રકારના છે. (૧) દ્રવ્યત: (૨) ભાવતઃ (૧) દૂરથતા – પિતાના ઉપભોગથી બચેલું. (૨) માવતઃ કાર અને સન્માન વિના સાધારણ ભિક્ષુની પેઠે આપેલું “બુદ્ધ- ઉદ્ગમ આદિ દોષરહિત. ૩પદુર્ત- બીજાને માટે રાંધેલું જે ભજનસ્થાનમાં રાખ્યું હોય તેમાંથી થોડુંક ગ્રહણ કરવું જોઈએ, તથા ઘણુ દાસી દાસ આદિ દ્વિપદ, ગાય ભેંસ. આદિ ચતુષ્પદ, શાક્ય તાપસ ઐરિક આજીવિક આદિ શ્રમણ, બ્રાહ્મણ-યાચક, સામાન્ય ભિક્ષુ આદિ અતિથિ, કૃપણ-દરિદ્ર, તથા પિતાની દુવ્યવસ્થાનાં પ્રદર્શન પૂર્વક પ્રિય પ્રિય આલાપ કરીને ભિક્ષા માગવાવાળા વનીપક, એ બધા લઈને ચાલ્યા જાય ત્યારે પ્રતિમાધારી મુનિ જે વસ્તુને એકજ માલિક હાય-જેના માટે બે ત્રણ આદિની માલિકી ન હોય એવી ભિક્ષા ગ્રહણ કરે, તે પણ ગર્ભવતીના તથા બાલવાત્સા-નાનાં બચાવાળીના હાથથી આહાર આદિ ન લે, તથા તેમના માટે બનાવેલા આહાર આદિ પણ ન લે. ગર્ભિણીના હાથથી ભેજન આદિ ન લેવું એ જિનકલ્પી મુનિને કલ્પ છે. વિકલ્પી મુનિ છ માસની પછી ઉત્થાન આદિ ક્રિયા કરીને દેવાવાળી ગણિીના હાથથી ગ્રહણ કરતા નથી. અર્થાત્ ગર્ભવતી સ્ત્રી ગર્ભના છ માસ થઈ ગયા પછી જ્યારે મુનિ અશન આદિ લેવા માટે આવે ત્યારે તે બેઠી હોય પછી ઉભી થઇને આપે તથા ઉભી હોય પછી બેસીને આપે તે તેના હાથની મુનિએ ભિક્ષા લેવી ન જોઈએ. જે ગર્ભિણી બેઠી–બેઠી આપતી હોય અથવા ઉભી રહીને જ દેતી હોય તે લેવી જોઈએ. જે સ્ત્રીનું બાળક નાનું હોય અને તે બાળકને દૂધ પાતી હોય તે બાળકને દૂર રાખીને જે અશન આદિ દેવાને માટે તૈયાર થાય તે તેના હાથથી ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. જે અશન આદિ દેવાવાળીના બેઉ પગ (ડેલી) ઉમરાની અંદર જ હોય અથવા બેઉ પગ ડેલીની બહાર હોય તે અશન આદિ ન લેવાં જોઈએ. જે એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર રાખીને અર્થાતુ ડેલીને બે પગની વચમાં રાખીને ભિક્ષા આપે તેજ પ્રતિમા ધારી ભિક્ષા ગ્રહણ કરી શકે છે. ઉકત વિધિથી ન આપે તેની પાસેથી ભિક્ષા લેતા નથી. અહીં એ વાત ખૂબ યાદ રાખવી જોઈએ કે–જિનકલ્પી મુનિને સ્વપ્રજ્ઞાથી જે ગર્ભવતીના ગર્ભનું જ્ઞાન થાય તે ગર્ભગ્રહણ કાલથીજ તેના હાથથી આપવામાં આવતી ભિક્ષા લેવી જોઈએ નહિ. સ્થવિરકલ્પી મુનિએ ગર્ભવતીના ગર્ભને સાતમે માસ આરંભ થાય ત્યારે તેના હાથથી અપાતી ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. (સૂ ૪) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૭૦

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125