Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કોઈ વ્યકિતએ સાધુને પોતાને ઘેર ભેજન માટે નિમન્ત્રણ આપ્યું. આ નિમન્ત્રણને સ્વીકાર કરે તે અતિકમ દેવ કહેવાય છે. (૧)
વ્યતિક્રમ - પાત્રને લઈને તે માટે ગયા. પણ જ્યાં સુધી ગ્રહણ કરતા નથી ત્યાં સુધી વ્યતિક્રમ દેષ કહેવાય છે. (૨) અતિચાર-દેવાવાળાને ઘેર જઈને અશન આદિ લઈને પાછા પિતાને સ્થાને આવ્યા બાદ, જ્યાં સુધી તે ગળાની નીચે નથી ઉતરતું ત્યાં સુધી અતિચાર દેષ કહેવાય છે. (૩) અશન આદિને ભેગા કરે એ સર્વથા ભંગરૂપ અનાચાર દેષ કહેવાય છે. જેમ દર્પણને અમુક ભાગ મલિન થાય તે તેટલા મલિન ભાગને શુદ્ધ કરવું પડે છે અને જે આખું દર્પણ મલિન થાય તે આખા દર્પણને શુદ્ધ કરવું પડે છે. કેમકે દર્પણને અમુક ભાગ મલિન રહેવાથી આકૃતિ ગ્રહણ બરાબર કરી શકાતી નથી. તેમજ આખુંય દર્પણ મલિન હોય તે સર્વથા ગ્રહણ કરી શકાતી નથી. એવી જ રીતે ચારિત્રદર્પણ પણ અમુક દેશમાં મલિન થવાથી અથવા સંપૂર્ણ મલિન થવાથી મેક્ષ આપવાવાળા થતા નથી.
શબલદોષોં કા વર્ણન
હવે શબલ દેશે કહે છે-“થH” ઈત્યાદિ.
હસ્તક્રિયા કરવા વાળા, બીજા પાસે કરાવવાવાળા તથા બીજા જે કરતા હોય તેને અનુમોદન આપવાવાળા શબલ દેષના ભાગી બને છે. (સૂ) ૧)
pપ” ઈત્યાદિ. આ સૂત્રને અર્થ સુગમ છે.
અતિક્રમ, વ્યતિકમ તથા અતિચાર દ્વારા કરેલ મિથુન, મનુષ્ય તિય સબંધી થતા શબલ દેષયુક્ત થાય છે. જે અનાચાર દ્વારા સેવન કરવામાં આવે તે સર્વથા ત્રતભંગ કહેવાય છે. (સૂ) ૨)
રૂમ ” ઈત્યાદિ. રાત્રિભેજનક રવાવાળા શબલ દેષના ભાગી થાય છે. (સૂ૦૩)
વાહામ ઈત્યાદિ. સાધુના નિમિત્ત-સાધુ માટે સ્કાયનું ઉપમર્દન કરી બનાવવામાં આવેલાં આહાર આદિને આધાકર્મ કહે છે. તેનું ભોજન કરવાવાળા મુનિ શબલ દેષના ભાગી થાય છે. આધાકર્મ દષથી દૂષિત આહારનું ભજન કરવાવાળા મુનિ ચારિત્રથી પતિત થાય છે. પિતાના આત્માને નરકના તરફ લઈ જાય છે. તેથી આધાકર્મદેષ દૂષિત આહાર આદિનું સેવન માટે દોષ ઉત્પન્ન કરે છે. શ્રી જિનવલ્લભ સૂરિએ પણ પિતાના સંઘપક ગ્રન્થમાં શિક ભેજન દ્વારનું વ્યાખ્યાન કરતાં કહ્યું છે કે
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર