Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 46
________________ ચિતસમાધિસ્થાનકા વર્ણન - પાંચમું અધ્યયન ચોથા અધ્યયનમાં સમિધિનાં સાધન, ગણિસર્પદાનું નિરૂપણ કર્યું. તેનાથી યુકત હોય તેજ ચિત્તની સમાધિમાં અધિકારી થાય છે. હવે પાંચમાં અધ્યનનમાં તેનાં સાધ્ય ચિત્તસમાધિનું નિરૂપણ કરાય છે –“મુવં ” ઇત્યાદિ. જેનાથી ચિત્ત મોક્ષના માર્ગમાં અથવા ધર્મ ધ્યાન આદિમાં સ્થિર થાય છે તે ચિત્તસમાધિ કહેવાય છે. ચિત્તસમાધિ દ્રવ્ય તથા ભાવના ભેદથી બે પ્રકારની છે. દ્રવ્યચિત્તસમાધિ કઈ મનુષ્યને સંસારના પદાર્થના ઉપભેગની ઈચ્છા થાય જ્યારે તેની પ્રાપ્તિ થતાં ચિત્તનું સમાધાન થાય છે ત્યારે આ દ્રવ્ય ચિત્તસમાધિ થઈ કહેવાય છે. જ્ઞાન દર્શન તથા ચારિત્રમાં ચિત્તને રાખીને ઉપગપૂર્વક જીવાદિ પદાથના સ્વરૂપનો અનુભવ કરે તે ભાવચિત્તસમાધિ છે. અકુશલ ચિત્તને રોકવાથી કુશલચિત્તની ઉદીરણા કરતાં અનાયાસ સહજમાંજ સમાધિ ઉત્પન્ન થાય છે. ' શબ્દ આદિ વિષયમાં સમતા, દ્રવ્યોની પરસ્પર સામ્યતાથી એક થઈ જવું તેનેજ દ્રવ્યસમાધિ કહે છે. જેમકે-જે દૂધમાં સાકર ઉચિત માત્રાથી મેળવી દેવાય તે તે દૂધ બધાને માટે રૂચિકર થાય છે. આ પ્રકારે ગ્ય પ્રમાણથી પરસ્પર મળી ગયેલાં દ્રવ્યજ સમાધિના પ્રતિ હેતુ છે. અન્યથા નહીં. આવી રીતે જે ક્ષેત્રને પ્રાપ્ત કરી ચિત્ત સમાધિમાં લીન થાય તેને ક્ષેત્રમાધિ કહે છે. જે કાલમાં ચિત્ત માહિત થાય છે તે કાલસમાધિ કહેવાય છે. ભાવસમાધિ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા વીર્યસ્વરૂપ ભાવસમાધિ છે - જ્યારે જ્ઞાન આદિ પાંચમાં ચિત્ત એકાગ્રવૃત્તિથી પ્રવૃત્તિ કરે છે ત્યારે ભાવસમાધિની ઉત્પત્તિ થાય છે. અહીં ભાવસમાધિને અધિકાર છે. તેનું આ પ્રથમ સૂત્ર છે:-“શુક્યું છેઈત્યાદિ. સુધર્મા સ્વામી કહે છે-હે આયુશ્મન જખૂ! મેં ગુરુની સમીપ રહીને તેમની સેવા કરતાં કરતાં વિનય સાથે સાંભળ્યું છે. ત્રણ લોકમાં પ્રસિદ્ધ ભગવાન શ્રી વર્ધન માન સ્વામીએ વક્ષ્યમાણ રીતે કહ્યું છે-આ પાંચમાં અધ્યયનમાં સ્થવિર ભગવન્તએ ચિત્તસમાધિના દશ સ્થાન નિરૂપણ કર્યા છે. અંતઃકરણને ચિત્ત કહે છે. તેનું સમાધાન થવું તે ચિત્તસમાધિ છે, અર્થાત્ પ્રશસ્તભાવને સમાધિ કહે છે. (સૂ ૧) જખ્ખસ્વામી પૂછે છે- હે ભદન્ત! તે દશ ચિત્તસમાધિસ્થાન કયા કયા છે? શ્રીસુધમાં સ્વામી કહે છે- હે જખૂ! જે દશ ચિત્તસમાધિસ્થાન વક્ષ્યમાણ પ્રકારે કહ્યાં છે તેને પ્રસંગ આવી રીતે છે- “તે સાઈ ઈત્યાદિ. તે કાલ તે સમયે અર્થાત ચોથા આરામાં ભગવાન મહાવીર સ્વામીના વિચરણના શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર 30


Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125