Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 56
________________ ઉપાસક પ્રતિમાકા વર્ણન છઠું અધ્યયન પાંચમા અધ્યયનમાં દશ સમાધિરથાનનું વર્ણન કર્યું છે. તેનું અવલમ્બન કરવું સર્વને માટે યોગ્ય છે. તેમાં પણ સંયમિઓએ સંયમ દ્વારા તેને લાભલે ઘણેજ શ્રેયસ્કર છે પરંતુ “સંયમવૃત્તિથીજ સર્વે સમાધિ પ્રાપ્ત કરવા ગ્ય હોય છે એ કેઈ નિયમ નથી. કેમકે અનેક મનુષ્ય મુનિના આચાર પાળવામાં અસમર્થ હેવાથી મુનિવૃત્તિને ગ્રહણ ન પણ કરી શકે. આ માટે મુનિવૃત્તિ ન રાખી શકે તેઓએ શ્રાવકવૃત્તિમાં રહીને જ સમાધિને લાભ કરી લેવું જોઈએ. પાંચમા અધ્યયનની સાથે આ છઠ્ઠા અધ્યયનને એ સંબંધ છે કે-સમાધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા શ્રાવકોને અગીઆર પ્રતિમાઓનું આરાધન કરવું તે સમાધિનું પ્રત્યેજક છે. માટે અગીયાર પ્રતિમાઓનું પ્રતિપાદન કરવું આવશ્યક છે. આ પ્રતિમાને ઉપાસકપ્રતિમા પણ કહેવાય છે. ઉપાસકપ્રતિમાનો શું અર્થ છે? તે બતાવે છે -જે સાધુઓની સેવા કરે છે તેમને ઉપાસક=શ્રાવક કહે છે, અથવા સાધુઓની સમીપમાં ધર્મકથા સાંભળવા માટે બેસે છે તેમને ઉપવાસ કહેવાય છે. તેમની પ્રતિમા–પ્રતિજ્ઞા અભિગ્રહવિશેષ તે ઉપાસકપ્રતિમાના નામથી પ્રસિદ્ધ છે. ૧ દ્રવ્ય ૨ તદર્થ ૩ મેહ તથા ૪ ભાવના ભેદથી ઉપાસક ચાર પ્રકારના થાય છે () દ્રવ્યોપાસ- જેનું શરીર ઉપાસક થવાને યોગ્ય હોય. જેણે ઉપાસક ભાવથી આયુષ્કર્મને બંધ કર્યો હોય અને જેનાં નામગાત્રાદી કર્મ ઉપાસક ભાવના સન્મુખ આવી ગયાં હોય. (૨) તથfiાસ-જે કોઈપણ પદાર્થ મેળવવાની ઈચ્છા રાખતા હોય. તે પદાર્થની ઇચ્છા સચિત્ત-અચિત્ત તથા મિશ્ર પદાર્થોના ભેદથી ત્રણ પ્રકારની હોય છે. સચિત્ત ઈચ્છા દ્વિપદ અને પ્રતુપદ ભેદથી બે પ્રકારની હોય છે. તાત્પર્ય એ છે કે–પુત્ર. મિત્ર કલત્ર ભાર્યા અને દાસ, ઉપરાંત ધન ધાન્ય આદિ સાંસારિક વસ્તુની ઉત્કટ ઈચ્છા રાખવા છતાં ઉન્નતિ પ્રાપ્તિને માટે ઉપાસના કરે તેઓને તદર્થોપાસક કહે છે. (૩) મોરારજ- જે પિતાની કામવાસનાઓને તૃપ્ત કરવા માટે શબ્દાદિ વિષયમાં આસકત થઈને મોહને વશ થઈ અનેક પ્રકારના કાર્ય કરવાવાળા હોય છે. તેમને મેહપાસક કહેવાય છે. ૩૬૩ ત્રણ ત્રેસઠ પાખંડ મતનું અવલમ્બન કરવાવાળા મેહપાસક છે. એવા વ્યકિત મેહનીય કર્મના ઉદયથી સત્ય પદાર્થને તે જોઈજ શકતા નથી. તેથી મિથ્યાદર્શનને જ પિતાનો સિદ્ધાન્ત બનાવીને તેમાં તલ્લીન થઈ જાય છે. તેઓ પિતાના મતને સર્વસ્વ માનીને સંસારમાં ભ્રમણ કરે છે. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૪૦

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125