Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાલ સિદ્ધિ
કાલની સિદ્ધિ– પદાર્થ છે અથવા પદાર્થ વત્ત રહેલ છે એ પ્રકારના વ્યવહારનું કારણ વર્નના છે “અનુરાત હૃદ્યારે પાણિનિના આ સૂત્રથી “પૂતુ ધાતુથી “પ્રત્યય થયે છે. જે વર્તનશીલ હોય તેને વર્તના કહે છે. ઉત્પત્તિ, અકસ્મૃતિ, અને વિદ્યમાનતારૂપ વૃત્તિ, અર્થાત્ ક્રિયા વર્તના કહેવાય છે. વર્તના સર્વ પદાર્થોમાં વિદ્યમાન છે. તે, પદાર્થોનું વિશેષ પરિણામ છે. પદાર્થોનું વર્તનારૂપ કાર્ય કેઈ નિમિત્ત કારણ વિના થઈ શકતું નથી. તેથી વર્તનારૂપ કાર્યની ઉત્પત્તિમાં જે નિમિત્ત કારણ છે તે કાલ દ્રવ્ય છે. જેવી રીતે ગતિનું નિમિત્ત કારણ ધર્મ-દ્રવ્ય છે.
કાલ લક્ષણ
કાલનું લક્ષણસ્વભાવથી વિદ્યમાન પદાર્થોની વિદ્યમાનતાપ જે વના છે, તેમાં સહકારી કારણ થવું તે કાલનું લક્ષણ છે. આ અભિપ્રાયથી ભગવાને પણ કહ્યું છે–
ITIટસ્થળો #ા” કાલ વત્તના લક્ષણ વાળ છે વર્તન લક્ષણ અર્થાત્ જ્ઞાપક જેનું, અર્થાત્ વત્તનારૂપ કાર્યથી જેનું અનુમાન થાય છે. તેને કાલ કહે છે. વર્તના ઉપલક્ષણ છે તેથી પરિણામ, ક્રિયા, પરત્વ (પહેલા પણું) અને અપરત્વ (પાછાપણું)નું ગ્રહણ થઈ જાય છે.
નિયામક કારણના અભાવમાં પદાર્થનું પરિણમન થતું નથી. જો એવું માનવામાં ન આવે તે સર્વ પદાર્થોની એક સાથે જ ઉત્પત્તિ થઈ જશે, તથા કારણ વિના પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૩ ૨