Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
"
ટીકા—ત્રસનું પ્રકરણ હોવાથી પ્રાણ' શબ્દનો અર્થ ત્રસજીવ સમજવા જોઇએ ત્રસ પ્રાણી વિદિશાઓમાં તથા દિશાઓમાં આગન્તુક દુઃખાથી ત્રાસ પામે છે. તાત્પર્ય એ છે કે:-સર્વ વિદિશાઓમાં અને સર્વ દિશામાં ત્રસ જીવ વિદ્યમાન છે, અને સવ વિદિશાએ તથા દિશાએથી આવવાવાળા દુઃખથી તે પીડા પામે છે.
તેને દુઃખ શા માટે થાય છે? તેના ઉત્તર એ છે કે જૂદા-જૂદા પ્રત્યેાજનાથી આતુર લેાક અર્થાત્ અર્ચા (શરીર), ચ, માંસ વગેરેના લાલચુ' પુરુષ ત્રસ જીવેાને પીડા પહોંચાડે છે, તેને જૂદી જૂદી જાતની વેદના ઉત્પન્ન કરે છે. તે ત્રસ જીવ પૃથ્વી આદિના આશ્રયે અલગ-અલગ રહેલે છે.
જો કે સ દિશાઓ અને વિદિશાએથી આવનારા દુ:ખાથી ડરવાવાળા ત્રસજીવ પેાતાની રક્ષા માટે પૃથ્વી આદિના આશ્રયે ટકી રહે છે. ક્રી પણ માંસ અને ચામડા આદિના લેાભી લેાક તેને બંધન એ પ્રમાણે તાડનદ્વારા, તેના બચ્ચાંએનું અપહરણ કરીને (ચારી જઇને) તથા તેના પ્રાણેાનું હનન-નાશ કરીને તેને પીડા પહોંચાડે છે, અને આ કારણથી તે હિંસક–સ'સારને પ્રાપ્ત થાય છે. આશય એ છે કે-એ સવ જાણી કરીને સંપૂર્ણ સાવદ્ય વ્યાપારના ત્યાગ કરીને સંયમની સાધનામાં પ્રવૃત્ત થવું જોઇએ. II3II
હવે પૂર્ણરૂપથી ત્રસકાયનાં આરંભના ત્યાગ કરવાવાળા અણુગારનું તથા ત્રસકાયના આરંભમાં પ્રવૃત્તિ કરવાવાળા દ્રવ્યલિંગિઓનું વિવેચન કરીને સમજાવતા થકા કહે છે— જ માળા,’ ઈત્યાદિ.
ત્રસકાય કે સમારમ્ભ મેં અન્ય પ્રાણિયોં કી હિંસા
મૂલા—ત્રસકાયના આરંભમાં સંકેચ કરવાવાળા અણુગારાને અલગ-જુદાસમજો, ‘અમે અણુગાર છીએ' એ પ્રમાણે કહેવાવાળા કાઈ કાઈ દ્રવ્યલિંગી, નાના પ્રકારનાં શસ્રાથી ત્રસકાયના આરંભ કરીને, ત્રસકાયનાં શસ્ત્રોને પ્રયોગ કરતા થકા ખીજા પણ અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. તેને અલગ જુઓ. IIસૂ॰ YI
ટીકા — —પરમ કરૂણાથી જેનું હૃદય દ્રવિત છે એવા અણુગાર ત્રસકાયના આર્ભથી સČથા વિમુખ રહે છે દૂર રહે છે. તે અણુગાર અલગ-અલગ છે. કાઈ અવધિજ્ઞાની, કાઈ મનઃ–પયજ્ઞાની, અને કાઈ કેવલજ્ઞાની છે. કોઈ-કોઈ પરાક્ષજ્ઞાની
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૫૭