Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 291
________________ વાયુવિરાધનાદોષ ટીકાથ–જે પુરુષે તીર્થકર ભગવાન અથવા તેમના અનુયાયી શ્રમણ-નિર્ચના મુખારવિન્દથી સાંભળીને સર્વ સાવધના ત્યાગરૂપ સંયમ અંગીકાર કર્યો છે, તે વાયુકાયના સમારંભને અહિતકર અને અબાધિજનક સમજતા થકા આ પ્રમાણે વિચારે છે આ લેકમાં શ્રમણ નિર્ચના ઉપદેશથી સમ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરવાવાળા આત્માથી જીવને જ એ જાણવામાં છે કે વાયુશા આ સમારંભ નિશ્ચિતરૂપથી કર્મબંધનું કારણ છે. કારણમાં કાર્યને ઉપચાર કરીને કમબંધનાં કારણને મૂલમાં કર્મબંધ કહેલ છે. આગળ પણ આ પ્રકારે સમજી લેવું જોઈએ. તથા એ વાયુકાય સમારંભ અજ્ઞાનરૂપ છે. એ નિગદ આદિમાં મૃત્યુનું કારણ છે (અર્થાત્ નિગદમાં લઈ જવાવાળે છે.) અને નરક છે. અર્થાત્ નારકીય યાતનાઓનું સ્થાન છે. ગ્રંથ, મેહ, મરણ અને નરકપ ઘેર દુખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની જીવ વારંવાર એની લાલચ કરે છે, અથવા ભેગોના અભિલાષી સંસારી જીવ આ ગ્રંથ, મેહ, મરણ અને નરકરૂપ ફલ માટેજ પ્રવૃત્તિ કરે છે. લોક કર્મબંધ માટે જ પુનઃ પુનઃ પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે જે કહ્યું છે તે કેવી રીતે જાણી શકાય ? એવી જીજ્ઞાસા થતાં કહે છે-“ચરિમૂ” ઈત્યાદિ. કેમકે નાના પ્રકારથી વાયુકાયની વિરાધના કરવાવાળા સાવઘવ્યાપારદ્વાર તે વાયુકાયને ઘાત કરે છે. તથા વાયુકાયના શાને પ્રયોગ કરતા થકા પૃથ્વીકાય આદિ અનેક પ્રકારના સ્થાવર તથા ત્રસજીનું ઉપમદન (નાશ) કરે છે. સૂ. ૪ના વાયુકાયના શસ્ત્રોના પ્રયોગ કરવાવાળા નાના પ્રકારના છની હિંસા કેવી રીતે કરે છે? એ બતાવવા માટે શ્રી સુધર્મા સ્વામી કહે છે –“રે મિ. ઈત્યાદિ. મૂલાથ–હું તે કહું છું—એકાએક (ઓચિંતા) ઉડીને પડવાવાળા જીવ છે. તે અચાનક આવી પડે છે, અને વાયુકાયથી પૃષ્ટ થઈને કઈ-કઈ જથારૂપે થાય છે. જે સંઘાત-સમુદાય-જથારૂપમાં પ્રાપ્ત થાય છે, તેનું શરીર સંકેચાઈ જાય છે, મૂછિત થઈ જાય છે, અને તે મરી પણ જાય છે. એ સૂ. ૫ / શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨ ૭૧

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299