Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 281
________________ લેક વારંવાર ગ્રંથ આદિના માટેજ પ્રવૃત્તિ કરે છે. એ વાત કેવી રીતે માલુમ પડી? એનું સમાધાન કરવા માટે કહે છે –“મમ્.” ઈત્યાદિ. કેમ કે નાના પ્રકારના શદ્વારા ત્રસકાયને સમારંભ કરીને ત્રસકાયની હિંસા કરે છે, અને ત્રસકાય સમારંભ કરતા થકા પૃથ્વીકાય આદિ અન્ય સ્થાવર પ્રાણીએને પણ ઘાત કરે છે. સૂત્ર ૬ જે પ્રયોજનથી ત્રસકાયની હિંસા કરવામાં આવે છે. તે પ્રયોજન “આ જીવનના સુખ માટે ઈત્યાદિ વિવેચનદ્વારા બતાવ્યું છે. (બતાવી ચૂક્યા છીએ.) ફરી પણ વિશેષરૂપથી એ હિંસાનું પ્રયોજન બતાવવા માટે શ્રી સુધર્મા સ્વામી કહે છેરે ચેમિ” ઈત્યાદિ. ત્રસજીવહિંસાપ્રયોજન મૂલાથ–હું કહું છું કેઈ અર્ચા (શરીર) માટે ત્રસકાયને ઘાત કરે છે. કેઈ ચામડી માટે ઘાત કરે છે. કેઈ માંસ માટે ઘાત કરે છે. કઈ રક્ત-લેહી માટે ઘાત કરે છે. કોઈ હૃદય માટે, પિત્ત માટે, ચરબી માટે, પાંખે માટે, પૂછડા માટે, વાળ માટે, શીંગડા માટે, વિષાણ (સૂવરના દાંત) માટે, હાથી દાંત માટે, દાઢ માટે, નખ માટે, સ્નાયુ માટે, હાડકાં માટે, મજજા માટે, અર્થ માટે, અનર્થ-(નિરર્થક). કેઈ “અમને માર્યા હતા” એ ભાવનાથી, કેઈ “અમને મારે છે” એ ભાવનાથી. અને કઈ “અમને મારશે” આ ભાવનાથી ત્રસકાયને ઘાત કરે છે. એ સૂત્ર ૭ ટીકાથ–જે પ્રજનથી ત્રસજીની હિંસા થાય છે, તે કહું છું. કઈ-કઈ અર્ચા અર્થાત્ શરીરના માટે ઘાત કરે છે. જેમકે-કેઈ પુરૂષને સારા લક્ષણવાળે સમજીને તેમ મારી નાંખે છે, અને તેના શરીરથી વિદ્યા તથા મંત્રની સાધના કરે છે અથવા– સ્વર્ણ પુરૂષના નિર્માણ માટે બત્રીસ લક્ષણવાળા પુરૂષને તપાવેલા તેલમાં નાંખીને મારે છે. કેઈ ચામડા માટે મૃગ અને વાઘ વગેરેને ઘાત કરે છે. કેઈ માંસ માટે બકરા વગેરેને મારે છે. કેઈ ત્રિશૂલનું ચિહ્ન બનાવવા વગેરે માટે લેહી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ઘાત કરે છે. એ પ્રમાણે કઈ હદય માટે ઘાત કરે છે-ઘાતકી લેક હદય લઈને મળે છે. એ પ્રમાણે પિત્ત માટે મેરને, ચરબી માટે વાઘ આદિને વાળ માટે ચમરી–ગાય આદિને, શગ માટે મૃગ આદિને મારે છે. વિષાણ-શબ્દ જે કે હાથી શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨૬૧

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299