Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્ષાયોપથમિક ભાવ
(૩) ક્ષાયોપથમિક ભાવમિથ્યાત્વ મેહનીય આદિ કર્મોના ઉદીર્ણ (ઉદયમાં આવેલા) અંશને નાશ થવે તે ક્ષય છે, અને અનુદીર્ણ અંશનું ફલ દેવામાં ઉમુખતે તરફ નહિ થવું તે ઉપશમ છે, એ બને અવસ્થાઓને ક્ષાપશમિક ભાવ કહે છે. આ ભાવનું બીજું નામ “મિશ્રભાવ” પણ છે. થોડી થોડી ઠંડી થયેલી અને ઢાંકેલી અગ્નિ પ્રમાણે જે કમ ઉદયાવલિમાં આવી ચૂક્યાં છે તેને ક્ષય થવે, તથા શેષ કને ઉદ્રક અને ક્ષય, બંને અવસ્થાઓથી રહિત થવું, આ બનેનાં આધાર ઉપર ક્ષપશમિક ભાવ ઉત્પન્ન થાય છે.
ઔદયિક ભાવ
(8) ઔદયિક ભાવકર્મને વિપાક (ફલ) મળવું તે ઉદય કહેવાય છે. ઉદયથી ઉત્પન્ન થવાવાળે ભાવ તે ઔદયિક છે. ઔદયિક ભાવ આત્માની મલિનતા રૂપ છે. જેમકે કીચડ– કાદવના સંસર્ગથી જલમાં મલિનતા આવી જાય છે. નરકગતિ નામ-કર્મ આદિના ઉદયથી નરકગતિ આદિ ઔદયિક ભાવ કહેવાય છે. કષાય–મેહનીય કર્મના ઉદયથી કોષ. માન આદિ તે ઔદયિક ભાવ છે. આ પ્રમાણે તમામ સ્થળે ઔદયિક ભાવને વિચાર કરી લે.
પારિણામિક ભાવ
(૫) પરિણામિક ભાવપૂર્ણ અવસ્થાને સર્વથા ત્યાગ નહિ કરતાં રૂપાંતર થવું તે પરિણામ છે, અને પરિણામ તેજ પરિણામિક કહેવાય છે. અહીં સ્વાર્થમાં ઠફ પ્રત્યય થયે છે પરંતુ નિવૃત્તિ અર્થમાં નથી થયો. નિવૃત્તિ અર્થમાં પ્રત્યય થવાથી જીવને આદિમાન (આદિવાળ) થવાને પ્રસંગ આવી જાય છે. જે-“પરિણામે નિવૃત્ત પરિણામિનીરઃ ” અર્થાત “પરિણામથી થવાવાળે પરિણામિક જીવ કહેવાય છે? આવી. વ્યુત્પત્તિ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૫૦