Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ મનુષ્યલોકમાં જેને નિર્ચન્ધના ઉપદેશથી સમ્યજ્ઞાન, અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો છે. તેઓ આ જાણે છે, શું જાણે છે ? એ શંકાનું સમાધાન કરવા માટે આગળ કહે છે, “ વહુ અભ્ય. ઇત્યાદિ.
વનસ્પતિકાયને આરંભ નિશ્ચય ગ્રંથ છે અર્થાત્ કર્મબંધ૩૫ છે, કારણમાં કાર્યને ઉપચાર કરીને આરંભને કર્મબંધ કહે છે, વસ્તુતઃ તે કર્મબંધનું કારણ છે. એ પ્રમાણે આગળ પણ સમજી લેવું જોઈએ.
વનસ્પતિકાયને સમારંભ મેહ અર્થાત્ અજ્ઞાન છે–અજ્ઞાનજનક છે, તે માર છે, અર્થાત્ નિગદ આદિમાં મૃત્યુનું કારણ છે. તે નરક છે, અર્થાત્ નારકી ઇવેને દસ પ્રકારની યાતનાઓનું કારણ છે.
- અજ્ઞાની જીવ કર્મબંધ, મોહ, મરણ અને નરકરૂપ એ ફળને પ્રાપ્ત કરીને પણ વારં–વાર એમાં વૃદ્ધ થાય છે. અથવા ભેગના અભિલાષી પુરુષ આ ગ્રંથ,મેહ, મરણ અને નરક માટેજ પ્રવૃત્તિ કરે છે.
લેક પુનઃ પુનઃ (ફરી-ફરી) કર્મબંધ વગેરે માટેજ પ્રવૃત્તિ કરે છે; એ કથન જે કર્યું છે, તે કેવી રીતે જાણવામાં આવ્યું ? એ જીજ્ઞાસા થવાથી કહે છે. “મિ' ઈત્યાદિ.
કેમકે નાના પ્રકારનાં પૂર્વોક્ત શ દ્વારા વનસ્પતિ કાયની હિંસા કરવાવાળા લેક સાવધ વ્યાપારથી વનસ્પતિકાયને ઘાત કરે છે, તથા વનસ્પતિકાયને આરંભ કરતા થકા, અન્ય પૃથ્વીકાય આદિ અનેક પ્રકારના સદાશ્રિત ત્રસ અને સ્થાવર અને ઘાત કરે છે. . ૭૧
મનુષ્ય શરીર કે સાથ વનસ્પતિ કી સચિતતા કી સિદ્ધિ
વનસ્પતિકાયના આરંભનું ફળ પ્રગટ કરીને એ પણ પ્રદર્શિત કરી આપ્યું છે કેવનસ્પતિકાયને આરંભ કરવાથી અન્ય ત્રસ અને સ્થાવર જીવોની હિંસા પણ અવશ્ય થાય છે. હવે વનસ્પતિકાયની સચેતનતા હેવામાં શંકા હેવાથી તેની સચેતના મનુષ્ય શરીરની સચેતનતા સમાન સૂત્રકાર પ્રગટ કરે છે–તે મિ.' ઈત્યાદિ.
અથવા–-જેમ મનુષ્ય શરીરમાં ચિતન્યને સમજવામાં સુગમતા છે, તે પ્રમાણે વનસ્પતિકાયમાં પણ સુગમતા છે. એ માટે વનસ્પતિ મનુષ્ય શરીરના સમાન છે. એ વાત સૂત્રકાર કહે છે-“હે મિ.” ઈત્યાદિ.
મૂલાઈ તે હું કહું છું—આ (મનુષ્ય શરીર) જન્મશીલ છે તે (વનસ્પતિશરીર) પણ જન્મશીલ છે, આ વૃદ્ધિશીલ છે, તે પણ વૃદ્ધિશીલ છે, આ સચિત્ત છે– છેદવાથી તે સુકાઈ જાય છે, તે પણ છેદવાથી સૂકાઈ જાય છે. આ પણ આ હારક છે, તે
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૯