Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 266
________________ મુખ અને અગ્નિ આદિ પરકાયશસ્ત્ર છે. વસૂલા દાંતી—દાતરડું, કુઠાર-કુહાડા આદિ ઉભયકાયશસ્ત્ર છે. વનસ્પતિકાય પ્રતિ મન, વચન અને કાયા અસત્-પ્રયોગ કરવા તે ભાવશસ્ત્ર છે. એ શસ્રાદ્વારા વનસ્પતિકાયના આરંભ કરીને-જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોને ઉત્પન્ન કરવાવાળા સાવદ્ય વ્યાપાર કરીને વનસ્પતિકાયની હિંસા કરે છે. જે વનસ્પતિકાયની હિંસામાં પ્રવૃત્ત થાય છે. તે છજીવનિકાયરૂપ સમસ્ત લેાકની હિંસા કરે છે. એ ખતાવે છે- વનસ્પતિરાલમ્. • ઈત્યાદિ. વનસ્પતિકાયના હિંસાજનક પૂર્વોક્ત શસ્ત્રના આરંભ કરવાવાળા લાક વનસ્પતિકાયના અતિરિક્ત પૃથ્વીકાય, આદિ અન્ય સ્થાવાની તથા વનસ્પતિ આશ્રિત દ્વીન્દ્રિયએ ઇંદ્રિય આદિ ત્રસ જીવેાની પણ હિંસા કરે છે. સંસારમાં અનેક પ્રકારના દ્રવ્યલિંગી છે. તેમાંથી શાક્ય આદિ કંઢ, મૂલ, પત્તા, ફૂલ આદિ ખાવા માટે વનસ્પતિના આરભ કરે છે, અને કરાવે છે, અને કરવાવાળાને અનુમાદન આપે છે. એ પ્રમાણે કરીને તે ષડૂજીવનિકાયની વિરાધનાના ભાગીદાર થાય છે. અમે પંચ મહાવ્રતધારી, જિન ભગવાનની આજ્ઞાના આરાધક અણુગાર છીએ.' આ પ્રમાણે કહેવાવાળા દંડી જુઠા સાધુ પણ સાવઘના ઉપદેશ આપે છે, અને શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવેલા વનસ્પતિકાયના આરભના ઉપદેશ આપે છે. તે વ્યાખ્યાન–મ’ડપ આદિમાં અશોકવૃક્ષનાં પાંડાંથી તારણ આદિ અધાવે છે. નાના પ્રકારના ફુલ-ફૂલ અને પાંદડાથી પચાપચાર આદિ પૂજાએમાં (શ્રાવકાને) પ્રવૃત્ત કરે છે–જોડે છે. જેમ- ઉચિત સમય-ચેાગ્ય સમય પર વિધિપૂર્વક વિશિષ્ટ-ઉત્તમ પુષ્પ આદિ દ્વારા સુન્દર સ્તત્ર, સ્તુતિપૂર્વક જિન ભગવાનની પૂજા કરવી જોઇએ. ” વનસ્પતિવિરાધક સાઘ્વાભાસ પંચાશકવૃત્તિ ઉમાસ્વાતિકૃત પ્રકરણમાં કહ્યું છે— 6 ‘મધ્યાહ્નમાં ફૂલાવડે પૂજા કરવામાં આવે છે.' ગંધ, વાસ અને અક્ષતથી તથા માળાએથી પૂજા થાય છે. ' · ઉત્તમ કળાથી પૂજા કરવામાં આવે છે. ’ ઈત્યાદિ. ખીજું પણ કહ્યું છે કેઃ 66 સૂકાં, જમીન પર ખરી પડેલાં, જેની પાંખડી તુટી ગઈ હેાય, સ્પર્શ કરાએલાં, ખરાખ અને ખિલ્યા વિનાનાં ફૂલેાથી પૂજા નહિ કરવી જોઈએ. ” સૂકાં અને જમીન પર ખરી પડેલાં ફૂલા વડે અભિપ્રાય એ થયા કે લીલાં અને તાજાં તેાડેલાં અરેરે! તેઓના આ સાવદ્ય ઉપદેશ કેવા છે ? આ પ્રમાણે દેવમંદિર આદિમાં કેળના સ્થંભ ઉભા કરીને અશેાકવૃક્ષનાં પાંદડાંથી શ્રી આચારાંગ સૂત્ર : ૧ પૂજા ન કરવી જોઈએ ? આને ફૂલેાથી પૂજા કરવી જોઇએ. ૨૪૬

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299