Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 234
________________ ટીકાઈ–આ અપ્લાયના વિષયમાં દ્રવ્ય અને ભાવરૂપ શસ્ત્રને વ્યાપાર કરવાવાળા પિતાના વ્યાપારને કર્મબંધનું કારણ જાણતા નથી. જે અપ્લાયના વિષયમાં દ્રવ્ય અને ભાવરૂપ શસ્ત્રને ઉપયોગ કરતા નથી, તેને એ વ્યાપારનું જ્ઞાન હોય છે. અર્થાત્ તે શપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાનપરિણાથી તેને ત્યાગ કરી દે છે. જ્ઞપરિજ્ઞા પછી પ્રત્યાખ્યાનપરિજ્ઞા કેવા પ્રકારે ઉત્પન્ન થાય છે, તે કહે છે-જલના આરંભને કમબંધનું કારણ જાણ કરીને સાધુની મર્યાદામાં રહેવાવાળા બુદ્ધિમાન સ્વયં જલકાયને આરંભ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, અને જલને આરંભ કરવાવાળાને અનુમોદન આપે નહિ. જે ઉદકશાસ્ત્રના આરંભને જાણે છે, તે પરિજ્ઞાતકમાં મુનિ છે. કૃતિ મિ” ને અર્થ પહેલાનાં પ્રમાણે જાણવું જોઈએ. (સૂ૦ ૧૬) ઇતિ શ્રી આચારાંગ સૂત્રની “ગાવાજન્તામણિ’ ટીકાના ગુજરાતી અનુવાદમાં પ્રથમ અધ્યયનને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત. ને લાસ ના ચતુર્થોદ્દેશક ઉપક્રમ ચોથો ઉદ્દેશકપાછળના ત્રીજા ઉદ્દેશકમાં સાધુતાની પ્રાપ્તિ માટે અપ્લાયને નિર્ણય કર્યો અને અષ્કાય અને ઉપયોગ કરવામાં જ્ઞપરિજ્ઞા તથા પ્રત્યાખ્યાનપરિક્ષા પણ બતાવી. હવે તે સાધુતાની પ્રાપ્તિ માટે ક્રમ પ્રાપ્ત અગ્નિકાયનું સ્વરૂપ સમજાવતા થકા-ચોથા ઉદ્દેશકને આરંભ કરે છે. સર્વ પ્રથમ તેજસ્કાયના જીનું અસ્તિત્વ નિશ્ચય કરવા માટે સૂત્ર કહે છે-“હે નેમિ” ઈત્યાદિ. મૂલાથ–ભગવાનની સમીપ જેવું સાંભળ્યું છે, તેવું કહું છું. સ્વયં અગ્નિકાય રૂપ લેકને અપલાપ કરે નહિ; અને આત્માને અપલાપ પણ કરે નહિ. જે અગ્નિકાયને અ૫લાપ કરે છે, તે આત્માને અપલાય કરે છે. જે આત્માને અપલાય કરે છે તે અગ્નિકાયને અપલાપ કરે છે. (સૂ. ૧) શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨૧૪

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299