Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેના ભેદ-પ્રભેદ શાસ્ત્રથી સમજી લેવા જોઈએ. આ પાંચ સ્થાવરોને એક માત્ર સ્પર્શન ઈન્દ્રિય હોય છે.
આ પાંચ જવનિકાયનું કથન કરી ચૂક્યા છીએ. હવે છઠ્ઠા ત્રસ કાયનું પ્રરૂપણ કરવામાં આવે છે–
ત્રસકાયભેદ
(૬) ત્રસકાયત્રસપણે બે પ્રકારનું છે-કિયાથી અને લબ્ધિથી. કાર્ય કરવું, ચાલવું, એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તે કિયા છે. આ ક્રિયાથી જ તેજસ્કાય અને વાયુકાય ત્રસ કહેવાય છે, લબ્ધિની અપેક્ષાએ આ બને સ્થાવર જ છે. કીન્દ્રિય આદિ ક્રિયાથી પણ ત્રસ છે અને લબ્ધિથી પણ ત્રસ છે. અહિં ત્રસનામકર્મને ઉદય તે લબ્ધિ છે. અને દેશાન્તરમાં ગમન કરવું તે ક્રિયા છે. દ્વિીન્દ્રિય આદિમાં એ બંને જોવામાં આવે છે. સ્થાવરનામકર્મોદય લબ્ધિની અપેક્ષા-પૃથ્વી, અપૂ, તેજ, વાયુ, વનસ્પતિ, આ સર્વ સ્થાવર છે. આ પ્રમાણે ત્રસ જીવ છ પ્રકારના છે–તેજસ્કાય, વાયુકાય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. આમાંથી તેજસ્કાય અને વાયુકાયનું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે.
કીન્દ્રિય આદિ ચાર પ્રકારના ત્રસ જીવમાંથી દ્વિીન્દ્રિય આદિનું સ્વર૫ બતાવે છે.
દ્વિત્રિચતુરિન્દ્રિયભેદ
(૧) દ્વા—િ શરીર અને કાષ્ઠ આદિમાં ઉત્પન્ન થવા વાળા કૃમિ, ફળ આદિમાં ઉત્પન્ન થવા વાળા ની લંગુ વગેરે. છાણમાં ઉત્પન્ન થવા વાળા શિંડલા વગેરે. જલમાં ઉત્પન્ન થવા વાળા શંખ, શીપ, જળો વગેરે દ્વીન્દ્રિય જીવ છે. તેને સ્પર્શન અને
શી, જળો વગેરે
કાલા , વગેરે. જલમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૧૫.