Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 13
________________ બૃહત્કામાં સાધુ-સાધ્વી-ગીતાર્થ-સ્થવિર વગેરે આશ્રયીને અલગ અલગ પ્રાયશ્ચિત્ત દર્શાવવામાં આવ્યું છે. યાત્રા મુખ્યત્વે તો વિષયકષાયમાં રક્ત એવા ગૃહસ્થ માટે છે. સાધુને માટે તો ગામે ગામના દેરાસર તીર્થરૂપ છે. સાધુનું જીવન જ ભાવતીર્થ રૂપ છે. સંયમ ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. એમાં જ ખરો આનંદ અનુભવવાનો છે. ગુલાબની શય્યા જેવા સંયમમાં જે આનંદ અનુભવાય એ સાચો આનંદ નથી. સાચો આનંદ તો કષ્ટને ઇષ્ટ માનવથી જ અનુભવવા મળે. ઉતાવળા, ઝડપી અને કાર્યક્રમ લક્ષી વિહારથી જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના ડહોળાઇ જાય છે. વિહારમાં આવતા ગામડાઓમાં શ્રાવકોને આરાધના ન કરાવીએ, તો સંયમી તરીકે સાધુને છાપ કયી પડે ? સાધુ પ્રત્યેના એમના ભાવ પણ કઇ રીતે ટકે ? પછી એઓને સાધુ સાધ્વીની ભક્તિ વેઠ રૂપ ન લાગે તો શું થાય ? આનો દોષ અમુક અંશે સાધુને પણ લાગે. ગામડાના શ્રાવકોની ભક્તિ ટકી રહે, એ માટે ઉપદેશનું સિંચન કરતા રહેવાની આપણી ફરજ છે. સાધુ વિવિધ પ્રકારના અભિગ્રહનો ધારક હોય, પણ કોઇ ચીજના ત્યાગનો અભિગ્રહ એ રીતે ન લેવાય છે, જેથી આપણી એષણા-સમિતિ ખંડિત થઇ જાય. આપણા પાત્રામાં ગુરૂઓ જે ચીજ મૂકે, એમાંથી ત્યાગ કરીને બીજાની ભક્તિ કરવી જોઇએ, આ સાચો અભિગ્રહ ગણાય. બાકી અમુક ચીજનો અભિગ્રહ કર્યો હોય, તો બીજી ચીજ મેળવવા માટે જ ફરવું, એનો શો અર્થ ? પૂર્વે આ રીતે અભિગ્રહ થતો. પાત્રામાં જે ચીજ આવી હોય, એનો ત્યાગ કરીને મુનિઓ બીજાની ભક્તિ કરતા. Jain Ede intes & perse lelib

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 226