Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 12
________________ અને ફોરમસમી ફલશ્રુતિ એટલે જ એ વાંચન દરમિયાન આંખ અંતરમાં વસી ચૂકેલી ચિંતનધારાના થોડાક અંશની વાચકો સમક્ષ મુક્ત હાથે લ્હાણી કરવા રૂપ પ્રસ્તાવના લેખનનો આ લાભ ! હૂં.પં. શ્રી અભયસાગરજી મહારાજ ચારિત્રના ચુસ્ત પાલક અને પક્ષકાર હતા. એમના આ ગુણની મધમધતી સુવાસ આ વાચનાના પાને પાને અને પંક્તિએ પંક્તિએમાંથી માણવા મળે એમ છે. પોતાની જાતને જે ગમ્યું હતું, એ ગમતાનો ગુલાલ સૌને ગમાડવા માટેનો પ્રયાસ વાચના જેવા માધ્યમથી એમણે કરવામાં જરાય કચાશ રાખી નહોતી, એમ આ વાંચનાનું વાચન કરતાં કરતાં જણાઇ આવ્યા વિના નહિ રહે. આગમજ્ઞાન, અનુભવજ્ઞાન ગુરુપરંપરાથી પ્રાપ્ત જ્ઞાનની એમણે આમાં છૂટે હાથે લ્હાણી કરી છે આ પુસ્તકમાં એમણે જે વિચારધારા વહેતી મૂકી છે. એ સાધનાનો સંદેશ સુણાવી જાય એવી અને સાથે સાથે સાધના સૂત્રોનું પ્રદાન કરી જાય એવી હોવાથી, એના આધારે કરેલી થોડીક તારવણી :: સાધકોને માટે જરૂર આ પુસ્તક વાચવા ઉત્કંઠિત કરી જનારા નીવડશે, એમ માનીને થોડીક તારવણી નીચે પ્રસ્તુત કરવાનો પ્રયાસ અસ્થાને નહિ જ ગણાય. સાધુનું જીવન સૂત્રાર્થ-પોરિસીમય હોય. સૂત્ર કરતાં અર્થપોરિસી મહત્ત્વની હોવા છતાં સૂત્રોને જરાય ગૌણ કરવાના નથી. ‘ગીતાર્થ' શબ્દથી આ સૂચિત થાય છે. અર્થોને રહેવાનું સ્થાન સૂત્ર છે. સૂત્રના ઘરમાં અર્થનો વસવાટ થતો હોય છે. માટે ઘર સ્વરૂપ સૂત્ર ઉપર માલિકી હોવી જોઇએ. સૂત્ર કંઠસ્થ હોય તો જ તેનો ભાવાર્થ-પરમાર્થ બરાબર પામી શકાય. મહાનિશીથસૂત્રમાં સાધુને માત્ર તીર્થયાત્રા માટે જ વિહાર કરવાનો નિષેધ છે. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં વચ્ચે તીર્થ આવે કે જિનાલય આવે, તો એના દર્શન-વંદન ન કરનાર માટે Jain Eden l Private&Personal Use

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 226