________________
- ~~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ કોઈકના કટુ શબ્દોથી આપણને ખોટું લાગે છે ખરું ?
બાલમુનિ એટલે બાલમુનિ ! એમને બોલવાનું ભાન ન પણ હોય, મનમાં પાપ ન હોય તો ય જ્યારે જે મનમાં સૂઝે તે ગમે તેમ બોલી ય નાંખે.
અને એકવાર એ ગ્રુપમાં એવું બન્યું પણ ખરું ! ૪૦-૪૫ વર્ષના દીક્ષાપર્યાયવાળા, ૧૦૦ ઓળીના આરાધક, પંન્યાસપદવીધારક એક મહાત્મા પ્રત્યે એ બાલ મુનિને કોઈક કારણોસર ગુસ્સો ભરાણો, અને જાહેરમાં જેમ તેમ બોલવાનું શરુ કર્યું. પંન્યાસજી મૌન રહી સાંભળી જ રહ્યા.
જાહેરમાં અપમાન ! અપશબ્દોની અગનવર્ષા ! પણ જાણે કે ચક્રવર્તીનું કવચ પહેરી ન લીધું હોય એમ એકેય અક્ષર બોલ્યા વિના, મુખરેખા પણ બદલ્યા વિના સહન કરી જ રહ્યા.
અંતે બાલમુનિ થાક્યા, ચૂપ થયા. પોતાના સ્થાને બેસી ગયા...
અડધો-પોણો કલાક ગયો અને બાલમુનિના પેટમાં કુકડેકુક થવા લાગ્યું. ભૂખ લાગી. પોતે જાતે તો ગોચરી વહોરવા જતા ન હતા. આવડતું પણ નહિ. ક-સમયે ગોચરી લેવા જવાનું કોને કહે ?
બાલમુનિ બોલ્યા, “મને ખૂબ ભૂખ લાગી છે.” અને બીજી જ પળે પંન્યાસજી ઉભા થઈ ગયા, તરપણી લઈ “હમણાં જ ગોચરી લાવું છું હોં ! ચિંતા ન કરતા.” અને ગોચરી લેવા નીકળી ગયા. થોડીવારમાં જ પાછા ફરી ખૂબ વાત્સલ્યથી બાલમુનિને ગોચરી વપરાવવા લાગ્યા.
બાલમુનિ પોતાની અધમતા અને પંન્યાસજીની મહાનતા સ્પષ્ટપણે અનુભવી રહ્યા, ગોચરી વાપરતા વાપરતા એમની આંખો ભરાઈ આવી. સગી માની જેમ પંન્યાસજીએ જે હેત વરસાવ્યું, એ એમના હૈયાને સ્પર્ધ્યા વિના કેમ રહે? ગચ્છના સૌ મુનિઓ આ અદ્ભુત પ્રસંગ અનુભવીને પ્રસન્ન બન્યા.
૨૦૨૦માં દીક્ષા લેનાર આ પંન્યાસજી આજે ૪૫ વર્ષનો દીર્ઘ પર્યાય ધરાવે છે. ૧૦૦ ઓળીની આરાધના કરી ચૂક્યા છે.
- માંડલીની ગોચરી લઈ આવ્યા બાદ પોતાની ગોચરી લાવે, અને આંબિલ કરે. રાજસ્થાનના વિહારમાં ઘણીવાર બાર વાગે પહોંચવાનું થાય તો ય મસ્તીથી આંબિલ કરે. ઘણીવાર ખીચડી અને પાણીથી પણ ચલાવી લે.
> એકવાર ૮૦૦ આંબિલ સળંગ કર્યા, અને એ બિલકુલ બલવણ-મીઠા વિનાના, અલુણા કર્યા. (મીઠા વિનાની રસોઈ એક દિવસ વાપરવી પણ કેટલી કપરી છે, એ આપણે જાણીએ છીએ.)
– ૧૦૮ ઓળી વિ.સં. ૨૦૪૩માં પૂર્ણ કરી. એ પછી વર્ષીતપ શરુ કર્યા. અત્યારે ૧૮મો વર્ષીતપ ચાલી રહ્યો છે.
- અત્યારે ઉંમર ૭૦ વર્ષની ! તપશ્ચર્યા ચાલુ ! છતાં આખી માંડલીની ગોચરી પોતે