Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 107
________________ ~~~~~~€ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~~~~ ઘરમાં એ જ લેવાનું.. દાળ-ભાત નહિ... એમ પહેલા ઘરે માત્ર ભાત જ મળે, તો બધે માત્ર ભાત જ વહોરવાના...) (૯) એમની દીકરીએ પણ દીક્ષા લીધેલી છે. એકવાર તો દીક્ષા લેવા માટે, દીક્ષાના વિનો નિવારવા માટે સુરત ગોપીપુરા વાસુપૂજ્યસ્વામી દેરાસરમાં લગાતાર છ માસ સુધી તપ-જપભક્તિની વિશિષ્ટ આરાધના કરી હતી. છેલ્લા દિવસે દેરાસરમાં નાનકડી મહાપૂજા રાખેલી, સૌની હાજરીમાં વાસુપૂજ્ય સ્વામીનું ઉપરનું છત્ર લગાતાર ચાર કલાક સુધી એની મેળે હલતું જ રહ્યું. (પ્રાયઃ એની સાલગીરીના દિવસે પણ એ હલે છે...) (૧૦) આ મુનિવરે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે વર્ષે વર્ષે એવી મહત્વની વસ્તુનો ત્યાગ કરતો રહીશ, એ રીતે ત્યાગના સંસ્કાર દઢ કરીશ. (૧૧) ગયા વર્ષે દિવાળીની આખી રાત એમણે જાગરણ કર્યું. આડા પણ ન પડ્યા. ત્રણસો લોગસ્સનો કાઉસ્સગ્ગા... વગેરે અનેક પ્રકારની આરાધના કરી. એમણે સંકલ્પ કર્યો છે કે હવે દર વર્ષે ચૈત્રી પુનમ અને આસો પુનમ આ બે દિવસ રાત્રિજાગરણ કરવું. એના દ્વારા શરીર પરનું મમત્વ ઘટાડવું. આરાધના વધારવી... એ માટેનો જે પ્રયત્ન કરવો. (૧૨) એ જડ નથી, માત્ર રુક્ષ આરાધના કરે છે...” એવું પણ નથી. એમને જ્ઞાનનો પણ એટલો બધો રસ! સંસ્કૃત ભણ્યા નથી, પણ ઓઘનિર્યુક્તિ+પિંડનિર્યુક્તિ આ બે ગ્રન્થના ભાષાંતર વાંચી લીધા. એવા તો અનેક પુસ્તકો વાંચ્યા જ કરે છે. (બુધ્ધિના અભાવે કે અલ્પબુદ્ધિના કારણે શ્રુતજ્ઞાન મેળવી ન શકનારાઓ પણ માર્ગાનુસારી બોધના કારણે, પ્રજ્ઞારનીયતાદિ ગુણોના કારણે આત્મિક વિકાસમાં ઘણા આગળ નીકળી જતા હોય છે. એ વિકાસ એટલી હદનો હોઈ શકે છે કે બુદ્ધિમાનો જે વિકાસને બુધ્ધિથી પરખી શકતા હોય, આત્માથી સાધી શક્તા ન હોય... એ વિકાસ એ જીવો બુધ્ધિથી પરખી શકતા ન હોય, આત્માથી સાધી શક્તા હોય...) બીજાના ભાવોને સાચવો સાહેબજી! આપનો તો અમને લાભ જ મળતો નથી. અમારી ગોચરી મોડી આવે છે, અને ત્યાં સુધીમાં આપની ગોચરી તો વપરાઈ જાય છે...' નિર્દોષ ગોચરીના આગ્રહી એક તપસ્વી મુનિરાજે એક વિદ્વાન આચાર્ય ભગવંતને લાવેલી ગોચરી બતાવતા બતાવતા ખરેખર સાચાભાવથી ખેદ વ્યક્ત કરતા કરતા ઉપર મુજબ શબ્દોચ્ચાર કર્યો. એ દિવસ હતો ચૈત્ર સુદ-૨ વિ.સં. ૨૦૬૯! સ્થાન હતું ભીલડીયાજી તીર્થ! એક સમુદાયના આઠ અને અન્ય સમુદાયના ચાર... એમ બારેક મુનિઓ વિજયભગદ્ર...માં રોકાયેલા હતા. માંડલી વ્યવહાર સાથે જ હતો, પણ ત્રણેક મુનિવરો

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128