________________
- ~~ ~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
+ આપના ગચ્છાધિપતિનું સ્વાથ્ય સારું છે, ઉંમર ૭૬ આસપાસ છે, એટલે એવી કોઈ મોટી ઉંમર નથી. કોઈ ગંભીર બિમારી પણ નથી. છતાં પોતાના આત્માની આરાધના માટે આ વિરાટ સમુદાયના સંચાલનાદિમાંથી નિવૃત્તિ લઈ લેવી એ કંઈ ખાવાના ખેલ નથી. સત્તાના સ્થાન પર બેઠા બાદ સત્તા ન ભોગવવી એ અશક્ય જેવું છે. છતાં એમણે એ આત્મસાત કરી લીધું છે.
આવા ગુણવાન ગચ્છાધિપતિની આવી ફુરણા કે જાહેરાત આપણને ગમે કે ન ગમે, તો ય એમના સન્માન ખાતર, એમની ગુણગરિમા પ્રત્યેની શ્રદ્ધાથી પ્રેરાઈને પણ સ્વીકારવી જોઈએ.
હા! તેઓ સ્વયં પોતાનો નિર્ણય બદલે, જવાબદાર વ્યક્તિઓ તેમને નમ્રતાપૂર્વક વિનંતિ કરીને નિર્ણય બદલાવે... અને ખરેખર તેઓ સ્વેચ્છાએ એ સ્વીકારે તો એ સારું જ છે.
બાકી “એમણે ખોટું કર્યુ, બારબર નથી કર્યુ વગેરે બોલવું ન જોઈએ. મારી આંખોમાંથી તો ટપક ટપક આંસુ વહેવા માંડ્યા. આ કંઈ અમારા પૂ.ગ.પતિશ્રીના શિષ્ય ન હતા, આ કંઈ અમારા સમુદાયના આચાર્ય ન હતા, પૂ.ગ.પતિશ્રી કે મારા ગુરુદેવ એમના સાક્ષાત કે પરંપરાએ ઉપકારી પણ ન હતા...
આ કંઈ મુગ્ધ-અણસમજુ-મશ્કાબાજ ન હતા,... છતાં આવો વિશાળ દૃષ્ટિકોણ ? કારણકે આ હતા દીર્ઘદષ્ટા, વિચારશીલ, ઉદારમના આચાર્યદેવ!
જે સ્માન કદાચ હું ય મારા પૂ.ગ.પતિશ્રી માટે આ રીતનું કલ્પી ન શકું, એ આ સાવ પરાય આચાર્ય ભ.ના હૈયે અને હોઠે હતું.
પૂ.ગ.પતિશ્રીએ આપેલું બિરુદ ટકે, ન ટકે... એ ભવિષ્યમાં જે થાય તે... પણ મને સૌથી વધુ આનંદ એ વાતનો હતો કે આજે પણ આવા ભયાનક કળિયુગમાં પણ, આવી વિરાટ, વિશુદ્ધ, વિશિષ્ટ વિચારધારા ધરાવનારા આચાર્ય ભગવંતો જિનશાસન પાસે છે. (અલબત્ત રહેવાના જ, ઘણા રહેવાના! પણ મારે ઘણો બધો નજીકથી અનુભવ થયો, એટલે મને વધુ આનંદ આવે ને..)
પરસમુદાયના પણ વડીલ આચાર્ય ભગવંત વગેરે પ્રત્યે આપણા મનમાં કેવો આદરભાવ, પૂજ્યભાવ, અહોભાવ, નમ્રભાવ હોવો જોઈએ... એનું સાક્ષાત દષ્ટાન્ત આ આચાર્યદવ પૂરું પાડી રહ્યા હતા.
છેલ્લા ૨૦ દિવસથી રોજ રાત્રે એક-દોઢ કલાક તેઓશ્રી પાસે બેસવાનું થાય છે, હજી ચૈત્રી પુનમ સુધી ચાલુ રહેશે... પણ ક્યારેય પણ કોઈપણ સમુદાયના કોઈપણ મહાત્મા માટે એકેય વાર નિંદા-ટીકાના શબ્દો એમના મુખેથી મને સાંભળવા નથી મળ્યા... (આપણે મીટીંગો કરીએ. ત્યારે શું શું વાતો હોય ? એની જરાક નોંધ કરી લેવા જેવી ખરી.)