________________
-~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ———————
રાતના પ્રતિક્રમણ પૂર્ણ થઈ ગયા બાદ અડધો કલાક વીત્યો હશે, એ વખતની આ વાત ! ઉપાશ્રય અંધારાવાળો હતો, આજુબાજુ ઝાડી પણ ખરી !
“શું થયું ગુરુજી !” શિષ્યાએ પ્રશ્ન કર્યો. “ઉપાશ્રયમાં લાંબો સાપ ઘુસી ગયો છે.” ગુરુજી એકદમ શાંતિથી બોલ્યા. “શું ? સાપ ? ક્યાં ? આપે કેવી રીતે જોયો ?” બંને શિષ્યા રીતસર ભડકી જ ગઈ.
“અંધારામાં દેખાય તો નહિ, પણ પ્રતિક્રમણ બાદ હું ઉવસગ્ગહરનો જપ કરતી હતી, એ વખતે મારા પગને લીસો લીસો સ્પર્શ થયો, પગ ઉપર ચડીને કંઈક સરકતું હોય, એવું લાગ્યું. એના આધારે ખ્યાલ આવી ગયો કે “આ નક્કી સાપ આવ્યો છે' એને પગ પરથી પસાર થતા ઘણીવાર લાગી, એટલે નિર્ણય થઈ ગયો કે સાપ લાંબો છે.
પણ આપને ભય ન લાગ્યો ? ચીસ ન પડી ગઈ ?” શિષ્યાઓ હજી વાત સાંભળીને જ ધ્રુજતી હતી. ગુરુજીની આટલી બધી શાંતિ એમને માટે તો આશ્ચર્ય જ હતું.
ભય શેનો લાગે ? એ ય છેવટે એક જીવ જ છે ને ? મારે બધા જીવો પ્રત્યે સરખો જ ભાવ ! જો ચીસ પાડુ, દોડું, તો સાપ પણ ગભરાઈ જાય, ઘણા બધા ભેગા થઈને સાપને મારી નાંખે, મારે એવું કંઈ જ કરવું ન હતું.
તું એક કામ કર, બાજુના ઘરેથી શ્રાવકને બેટરી સાથે બોલાવી લાવ. સાથે બીજા બે-ચાર યુવાનોને પણ લઈ આવે... એમ કહેજે.” થોડી જ વારમાં ચારેક ભાઈઓ આવી ગયા.
અંદર સાપ ઘુસ્યો લાગે છે. સાવચેતીપૂર્વક તપાસ કરવી પડશે.” ભાઈઓ પણ ચોંક્યા. અમે સાંભળીને ય ગભરાઈએ છીએ, અને આ સાધ્વીજી.
બેટરી કરીને ભાઈઓ અંદર ગયા. બીતા બીતા તપાસ કરી, તો પાટની નીચે લાંબો, કાળો, જાડો સાપ પડેલો હતો. જોતાની સાથે જ આખા શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. બે હિંમતબાજ યુવાનોએ લાકડીઓ જમીન પર પછાડી, સાપને જરાક અડાડી અડાડીને એને માંડ માંડ ઉપાશ્રયમાંથી બહાર કાઢ્યો.
ગુરુણી તો તરત અંદર આવી પાછા જાપ કરવા લાગી ગયા. પણ બીજા બધા તો સાપના ગયા પછી પણ એકદમ ભયભીત બની રહ્યા. સતત એનો જ વિચાર આવ્યા કરે, બીજી બાજુ ગુરુણીની નિર્ભયતા જોઈને અત્યંત આનંદ પણ થયો.
આવા ગુરુણીના એ શિષ્યાએ ભંડોને અને ગલુડીયાઓને બચાવ્યા હતા, જેના પ્રસંગો પૂર્વે આપી દીધા છે.) | (આપણને આવી બાબતોમાં ક્યારેક શ્રદ્ધા ન પણ બેસે. “ઉપાશ્રયમાં કંઈ સાપ આવતો હશે.” એવો વિચાર પણ આવી જાય. પણ ત્રણેક મહિના પહેલા જ આવો અનુભવ થઈ ગયો. તપોવનના ઉપાશ્રયમાં લાંબો સાપ અંદર ઘુસી ગયો, ગોચરીરૂમના બારણાની પાછળ લપાઈ