Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 103
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~+ પરિગ્રહનો પરિત્યાગ પમાડનાર પ્રકૃષ્ટ લોધા (પૂ.આ.મુનિચન્દ્રસૂરિજી મ.પાસેથી સાંભળેલ) દક્ષિણ ગુજરાતના સ્થાનોમાં અમારે વિચરવાની ભાવના હતી. પણ એ ક્ષેત્રમાં અમે તદ્દન અજાણ્યા! નવા! ત્યાંના જાણીતા અને ત્યાંના ક્ષેત્રનું ખેડાણ કરી ચૂકેલા એક આચાર્ય ભગવંત સાથે અમે જોડાયા. એમની નિશ્રામાં એક સંઘ જતો હતો. એમાં જ અમે જોડાઈ ગયા. એ આચાર્ય ભ. ખૂબ જ નિખાલસ! પ્રસંગ એમને હોવા છતાં પણ અમને ઘણું વધારે પડતું સન્માન આપે. એક દિવસ વાત-વાતમાં એમણે કહ્યું કે... “એક વાર મારા તપસ્વી ગુરુ મહારાજે મને બોલાવ્યો. કહે કે “આજે બાધા લે. તારી માલિકીનું એક પણ પોટલું રાખવાનું નહિ. અને કોઈપણ ટ્રસ્ટ કે સંસ્થામાં તારી સત્તા ધરાવતો નહિ.” મારા ગુરુ મહારાજ કહે અને હું ન માનું એ ન બને. મેં એમની વાત સ્વીકારી, બંને બાધા લીધી. આજે તો એ વાતને વર્ષો થઈ ગયા. પણ મારી બાધા મેં બરાબર પાળી છે. મારા નામનું કાયમી પોટલું, પરિગ્રહ કશો રાખ્યો નથી. મારા ગુરુજીના કાળધર્મ બાદ એમના સ્થાને મોટું ગુરુમંદીર બનાવડાવ્યું, પણ ભક્તોદ્વારા એ કામ થઈ ગયા બાદ એનો બધો જ વહીવટ સ્થાનિક ટ્રસ્ટીઓને સોંપી દીધો. હું એમાંથી કાયમ માટે નીકળી ગયો.” આજે પણ આ આચાર્ય ભગવંત બંને પ્રતિજ્ઞાઓનું બરાબર પાલન કરે છે. આ આચાર્ય ભ. ઢગલાબંધ અંજનશલાકાઓ, પ્રતિષ્ઠા કરાવી ચૂક્યા છે. પણ એમનો સંકલ્પ છે, નિર્ણય છે કે પ્રાચીન મહાપુરુષોએ જે પ્રતિષ્ઠા કરાવી હોય, એ એમને એમ રહેવા દે. પ્રતિમાજીને હટાવ્યા વિના આખું દેરાસર નવું થવા દે... પ્રતિમાજી હલાવવા ન દે. (જ્યાં મોટી જગ્યા ન મળવાદિ કારણોના હિસાબે પ્રતિમાજી ખસેડવાનો નિર્ણય નાછુટકે લેવો જ પડે... એ અલગ વાત!) એક મુનિરાજની ૧ વર્ષના દીક્ષાપચયની રવાધ્યાય-સાધના ઉંમર માત્ર ૧૯ વર્ષ ! - દીક્ષા બાદ ૧ માસના દસ વૈ.ના જોગ! એ પછી ઉનાળામાં જ અઢિસો કિ.મી.નો વિહાર! એ પછી ચોમાસુ અને એ પછી પોતાની વાર્ષિક પ્રથમ દીક્ષાતિથિ! - ૧૦૧ - -

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128