________________
-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ-~~~-~આમાં માવો છે ? બજારનો કે ઘરનો ? એ પુછેલું? આમાં પાકું મીઠું નાંખેલું કે કાચું ? પુછેલું ખરું કે ?...
અમે જો પ્રમાદ-ઉપેક્ષા કરીએ, તો પકડાઈ જ જઈએ, પછી ઠપકો આપે કે “આપણે સંયમી છીએ, ગરબડ ચલાવવી સંસારીઓનું કામ! આપણું નહિ...”
* એક વાર શરીરમાં ગરમી થઈ, અમે કહ્યું... “નાળિયેરનું પાણી વાપરો...”
તરત જ જવાબ હાજર! “ના, કાચા ગર્ભને ફોડીને મારે પાણી વાપરવું નથી. બીજા જીવને અશાતા આપીને આપણને શાતા ન મળે...
* ૮૦ વર્ષની ઉંમર પછી પણ રોજ નવું ગોખવાનું ચાલુ રોજ ૫ થી ૬ કલાક ગ્રન્થપુસ્તકાદિનું વાંચન! ની ૨૫ માળા, ૧૦ બાંધી નવકારવાળી, ૩૫૦ લોગસ્સનો કાયોત્સર્ગ, દર વર્ષે કુલ ૨ વાર સવાલાખ-સવાલાખ નવકારમંત્રનો જપ..
* વિહારમાં કોઈપણ સાધ્વીજીઓ વિહાર કરીને આવે, તો પોતે આસન પરથી ઉભા થઈ પાસે જાય જ... ગોચરી-પાણી અંગે પૂછે જ... એ સાધ્વીજીઓ સ્વ કે પર સમુદાયના...નાના કે મોટા... કશું જ જોવાનું નહિ.
* ૮૩ વર્ષની ઉંમરે તળાજા તીર્થની યાત્રા ચડીને કરી. * ક્યારેય પણ ભીંતને ટેકો આપીને બેઠા નથી, સદા માટે અપ્રમત!
* અમને શિખામણ આપે “વૈયાવચ્ચમાં–કામ કરવામાં ક્યારેય પણ કંટાળો ન આવવો જોઈએ. “એ તો રોકડો વેપાર છે, તરત પુણ્યબંધ અને કર્મનિર્જરા થાય..
* સંઘમાં કોઈપણ પ્રકારની માંગણી ન કરે, અપેક્ષા ન રાખે.... "
* ભૂલથી કોઈ બોલે કે “ગુરુજી! આ અનુકૂળ છે, આ વાપરો...' તો એ વસ્તુનો એ દિવસે ત્યાગી
* કોઈક ઘરે અનુકૂળ વસ્તુ એકવાર વહોરી હોય, પછી વધઘટમાં એ વસ્તુ એ ઘરે ન વહોરવા દે.
* સંઘાટકગોચરીનો આગ્રહ ઘણો! ચોખ્ખું કહે કે “બે હોય, તો એકબીજાના સાક્ષી બની રહે, ભૂલ ન થાય.”
* એમનો ઉપદેશ હતો કે પાટે બેસનાર જેટલાને ધર્મ પમાડે, એના કરતા ઉત્તમ ગોચરીચર્યા કરનાર વધુ ધર્મ પમાડે.”
* આજે પ્રતિક્રમણ બાદ જો અમે ભેગા મળી વાતો કરતા હોઈએ, તો ટકોર કરી જ દે.. કોની ચટણી કરો છો ?' એવા કોઈક વાક્યોથી અમને સાવચેત બનાવી જ દે...
* કોઈપણ સાધ્વીજીઓ વિહાર કરીને આવે, એટલે પહેલા એમને બધી પરાતો આપી દે, બીજી પણ બધી વસ્તુ પહેલા એમને આપી દે, અમને બીજીનું પાણી પણ ન લાવવા દે.