________________
~~~~ ~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~ ~ પતિએ આદેશ વાંચી લીધો એક સેકંડમાં બહાર નીકળી જાઓ. તમારા કારણે દીકરાનો પરલોક બગડશે.” અને પતિ દોડીને બહાર જતો રહ્યો.
વત્તારિ સર પર્વજ્ઞામિ... બહેનના મધુર શબ્દો.... બીજી આંચકી.... રિહંત સર.. ત્રીજી આંચકી.... દીકરાની પ્રભુ સમક્ષ ખુલ્લી આંખો, બે હાથ જોડેલા અને પ્રાણ નીકળી ગયો.
એક-બે પળ, બહેન શાંત બેસી રહ્યા. દીકરાની બે આંખો બંધ કરી દીધી. અને મહિનાઓથી રૂંધી રાખેલી અશ્રુધારા બારે ખાંગે વરસી પડી.
દીકરો સદ્ગતિ પામ્યો, સમાધિમરણ પામ્યો...” એના હર્ષાશ્રુ અને માતૃત્વથી પ્રેરાયેલા નેહરાગભીના વિયોગાશ્રુ !
બધાએ એમને રડવા દીધા, પતિ ભીની આંખે પાછો ફર્યો, સૌના મનમાં એક જ વિચાર ! “મા મળો, તો આવી !” એ બહેન સૌને આજે તો વંદનીય, પૂજનીય લાગ્યા.
(લૌકિક જગતમાં “માતાની જોડ ન જ મળે', એમ કહ્યું છે. પણ ત્યાં માતાના લૌકિક ઉપકારોને નજર સામે રાખીને આ શબ્દો વપરાયા છે. લોકોત્તરશાસન એટલું જ કહે છે કે જો મમ્મી સંતાનોને ધર્મમાર્ગે વાળી, આ રીતે ઉત્કૃષ્ટ કક્ષાનું સમાધિમરણ અપાવે, તો અમે પણ એ બોલવા તૈયાર છીએ કે જનનીની જોડ સખી !....)
મારા દાદી ગુણી (એક સાધ્વીજીના શબ્દોમાં...) * ૮૦ વર્ષની ઉંમર થઈ, ત્યાં સુધી ૬-૭ કિ.મી.નો પણ વિહાર જ કરતા, ડોળી-વ્હીલચેર ન વાપરતા.
* ૯૦ વર્ષની ઉંમર સુધી ક્યારેય દિવસે ઉંધ્યા નથી.
* ૯૬ વર્ષની પાકટ ઉંમરે તો શરીર નબળું પડે જ ને ? દેરાસરનો ઉંબરો ઓળંગવામાં પણ મુશ્કેલી ! છતાં પ્રભુદર્શનની તીવ્ર તમન્ના, એટલે દેરાસરના મોટા પગથિયા મહેનત કરી કરીને પણ ચડે અને દર્શન કરે એ પછીજ એમને સંતોષ થાય.
અમે કહીએ કે “બહારથી જ, નીચેથી જ દર્શન કરી લો ને ? ઉપર અંદર ચડવા-જવાની શી જરૂર ?' તો જવાબ આપે “એમાં દર્શનનો આસ્વાદ નથી આવતો...” (આપણને દર્શનમાં ભાવ ન જાગતો હોય, ઉતાવળ કરવાનું થતું હોય... તો એની સામે આ આદર્શ વિચારવા જેવો નથી શું ?)
* અમે ગોચરી લઈને આવીએ, ત્યારે દર વખતે અણધાર્યા પ્રશ્નો પૂછી નાંખે.. દા.ત.: આજે કુલ કેટલા ઘરોમાં ફર્યા? સંખ્યા ગણીને કહો. આમાં લોટનો કાળ પુક્યો છે ?