________________
--~~-~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~-~-~
* પુષ્ટક્રણ હોય તો બહારનો મોટો દોષ પણ અપવાદ છે. દા.ત. કમળાના દર્દીને શેરડીનો રસ! અને પુષ્ટક્રણ ન હોય, તો બહારનો નાનો દોષ પણ અતિચાર છે. દા.ત. કોઈકને ત્યાં સુંઠ-પાવડર મુકાવડાવવો, રોજ ત્યાંથી વહોરાવવો..
એટલે આપણો દોષ દેખીતી રીતે નાનો હોય, તો પણ મોટો હોઈ શકે છે. બીજાઓનો દોષ દેખીતી રીતે મોટો હોય, તો પણ નાનો કે નહિવત હોઈ શકે છે. આવું દરેક બાબતોમાં સમજી લેવું.
* પૂજ્યપાદ ગુરુદેવશ્રી કહેતા “પૂ.આ.ભુવનભાનુસૂરિજી મ.નું છેલ્લું ચોમાસું અમદાવાદ! એ પૂર્વે અમદા. જતી વખતે તેઓશ્રીએ અમારા ગુરુદેવશ્રીને કહેલું કે “મારે તીર્થાધિરાજ ઉપર દાદાને ભેટવું છે, હવે મારો ઝાઝો કાળ બાકી ન ગણાય. મન ભરીને ભક્તિ કરી લઉં.”
તો અહીંથી પાલિતાણા નીકળી જઈએ.” ગુરુદેવશ્રી બોલ્યા. (પ્રાયઃ વડોદરા આસપાસ આ વાત થઈ હોવી જોઈએ.)
ના, તું જોતો નથી? અત્યારે હું ડોળીમાં છું. મારે ડોળીમાં યાત્રા નથી કરવી, એ તો હું અમદા. જઈશ. ત્યાં બરાબર સાજો થઈશ. પછી મારે વિહાર કરીને, ચાલતા ચાલતા શત્રુંજય પહોંચીને જ યાત્રા કરવી છે.
પણ એવી શક્તિ ન આવી તો ?' “તો યાત્રા નહિ...'
* સાધુ કે સાધ્વીજીઓને અત્યારના સંયોગોમાં સ્થિરવાસ માટેની યોગ્ય જગ્યા ન મળતી હોય, કદાચ મળે તો બીજા ઘણા દુષણોની સંભાવના હોય... આ બધા કારણોસર વિહારને બદલે સાધનનો ઉપયોગ કરવો પડે... એ સંભવિત છે. પણ એનો ઉપયોગ સદુપયોગ રૂપે થાય એ ઘણું સારું.
સવો ગુણહિં ગણો “આવતી કાલે એક આચાર્ય ભ. અહીં પધારવાના છે. સાંજે જ વિહાર છે. ૧૦૮માં રોકાશે, મારે પરિચય સારો છે. એમનો પરિચય ખાસ કરવા જેવો છે. હું તમને એમનો પરિચય કરાવીશ.”
પૂ.આ. યશોવિજયસૂરિજી મ.ના વંદના ભદ્રિક મુનિરાજ મહાયશવિ.એ મને શંખેશ્વરમાં શિહોરીના ઉપાશ્રયમાં ઉપર મુજબ વાત કરી.
અમે ચાર મહાત્માઓ પૂ.પં.વજસેન મ.ની સંમતિ મેળવીને નવકાર આરાધના ભવનમાં રહેલા. ત્યાં ભોંયરું અને ભંડાર... એટલે સ્વાધ્યાયની અનુકૂળતા સારી હતી.
મુ. મહાયશ વિ.મ.નો પરિચય મને ત્યારે જ થયો. એકદમ સરળ, ઉદાર, ભદ્રિકસ્વભાવી! “પણ જો, જો! તમે પાછા એમના દોષો જોવા નહિ બેસી જતા.” મને હસતા હસતા એમણે ટકોર કરી.