________________
———————— વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~~~~ ગયો. સાધુએ સાપને ત્યાં જતા જોયો, એટલે વડીલને વાત કરી. વડીલે નાછુટકે સાપ પકડનાર અહિંસક ભાઈને બોલાવ્યો, એણે સાપને પકડીને બરણીમાં પૂર્યો.. આ બધું મારી હાજરીમાં જ બન્યું. પણ મને એટલો બધો ડર કે નીચે આ બધી ધમાલ ચાલતી હતી, ત્યારે હું ઉપર પહેલા માળે જ રહ્યો. સાપ જોઈને પણ, યાદ કરીને પણ મને ભય લાગતો, તો આ સાધ્વીજી આખો ને આખો સાપ પગ પરથી સરકી જાય અને છતાં કશો ભય ન લાગે એ કેટલી મોટી સિદ્ધિ ગણાય ?
એટલે “આવા પ્રસંગો બોગસ છે કે ખોટા છે એવું લગીરે ન માનશો.
સંયમીનો અહિંસક પરિણામ કેવો હોય ? એ માટે શાસ્ત્રમાં લખ્યું છે કે સસલાઓ, કબુતરો, હરણાઓ નિર્ભય બનીને સંયમીના ખોળામાં બેસી જાય... સ્નેહથી મોટું સુંધે..
આપણે આવી પવિત્રતાના સ્વામી ક્યારે બનશું ? અત્યારે ભાવના તો ભાવીએ, તો ભવિષ્યમાં સફળતા મળશે.
ઘડપણમાં શાણપણ અમને એ નથી સમજાતું કે આંખેથી દેખાતું નથી, અને પોતે એકલા રહે છે, ઉપાશ્રય મોટો છે, તો એ આખો દિવસ પસાર કેવી રીતે કરે છે ? ગોચરી કેવી રીતે લાવે ? અંડિલમાત્રુનું શું ? આ તો ભારે આશ્ચર્ય કહેવાય.”
ઉત્તરગુજરાતના એક ધર્મિષ્ઠ નાનકડા શહેરમાં મુખ્ય શ્રાવકોને મેં પ્રશ્ન પુછ્યો. અમે ગામમાં રોકાયા હતા, અમારા ઉપાશ્રયની બાજુમાં જ મોટા ઉપાશ્રયમાં એક વૃદ્ધ સાધ્વીજી વર્ષોથી રહેતા હતા. આમ તો વૃદ્ધની સેવામાં કોઈક સંયમી હોય જ, પણ ક્યારેક કારણસર એવી ગોઠવણ ન પણ થઈ હોય.
શરૂઆતના પાંચ-સાત દિવસ તો અમને આ વાતની ખબર જ ન હતી, પછી અચાનક ખબર પડી, એટલે જવાબદાર શ્રાવકોને જ આ પ્રશ્ન કર્યો.
અને શ્રાવકોએ જે જવાબ આપ્યો, એ સાંભળીને ભારે આંચકો લાગ્યો. “આ સાધ્વીજીની જગ્યાએ અમે હોઈએ તો ?” એ પ્રશ્નનો જવાબ મનને મુંઝવણમાં નાંખી દે એવો હતો.
મહારાજ સાહેબ !” લાગણીસભર હૈયે વડીલ શ્રાવકે બોલવાની શરુઆત કરી. “અત્યારે ૮૨ વર્ષની ઉંમર છે. ૬ર વર્ષનો દીક્ષાપર્યાય છે. ઉંમર મોટી થયા બાદ છેલ્લા ઘણાં વર્ષોથી અહીં જ સ્થિરવાસ હતા. પણ ત્યાગભાવના ખૂબ ! બારેક વર્ષ પહેલા ઉપાશ્રયમાં જ પડી ગયેલા. હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા, યુરીન (માત્ર) બંધ થઈ ગયું હતું, એટલે શરીરમાં સોજા પણ વધી ગયેલા. ડોક્ટરે કહ્યું કે “ડાયાલિસીસ કરાવવું જ પડશે.” લાયન્સ હોસ્પીટલમાં ચાર ડાયાલિસીસ કરાવ્યા, પણ સુધારો ન થયો.
૫ ૫
-