Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 62
________________ -~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ખાસ - > આ નિયમો કોઈને પણ કહેવાના નહિ, મનથી જ ધારવાના. – આ નિયમો એક-એક દિવસના હતા, કાયમના નહિ. રોજ નવા નવા નિયમો લેતા જાય. (શ્રી ઉપદેશરહસ્યમાં મહોપાધ્યાયજી ફરમાવે છે કે મોક્ષાર્થી આત્માએ એક ક્ષણ માત્ર પણ અભિગ્રહ લીધા વિનાના રહેવું નહિ. રોજ નાના-મોટા, નવા નવા અભિગ્રહોથી આત્માને બાંધવો. એમાં વૈરાગ્ય વધે છે, સંવેગભાવ વધે છે. આપણે એમના વચનને સફળ બનાવવું જોઈએ. આ એક જ મહાત્મા શું કામ આ બધા અભિગ્રહો લે? આપણે પણ આપણી શક્તિ પ્રમાણે ઓછા-વત્તા અભિગ્રહો લઈ શકીએ ને ?) न क्षणमपि क्षमं मुमुक्षूणां निरभिग्रहाणां स्थातुम् એક મહાત્માની ૧૦૮મી ઓળીની અનુમોદના માટે પ્રસ્તુત મુનિએ ફરીથી વર્ધમાન તપનો પાયો નાંખ્યો, અને એ ૨૦ દિવસ વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યા કરી. તે આ પ્રમાણે – (૧) ત્રણ દત્તિથી આંબિલ ! (એક સાથે જેટલું વહોરાવાય તે એક દત્તિ ! દા.ત. શ્રાવક એકવારમાં એક સાથે ત્રણ રોટલી જ વહોરાવે, તો એ એક દત્તિ ! શ્રાવિકા એક ચમચો દાળ વહોરાવે, તો એ બીજી દત્તિ ! અને પાણી એકધારથી જેટલું વહોરાવે એ ત્રીજી દત્તિ ! બસ, આટલાથી જ આંબિલ કરી લેવાનું. આમાં પ્રમાણ ઓછું કે વધારે પણ થઈ શકે છે.) ઉપવાસ. પહેલા દિવસે જે વસ્તુ આંબિલખાતામાં ન બની હોય, અને આજે ત્રીજા દિવસે બની હોય, તે વસ્તુથી જ આંબિલ ! આઠ દ્રવ્યો વાપરવા. દરેક દ્રવ્ય જુદા જુદા ધાન્યનું જ લેવાનું. દા.ત. ઘઉંની બે વસ્તુ નહિ. અડદની બે વસ્તુ નહિ. ઘઉંની એક, અડદની એક, ચણાની એક.. ઉપવાસ. ગ્રુપમાં જેટલા મહાત્માઓને આંબિલ હોય, તે બધાને કોઈપણ એક દ્રવ્યનું નામ બોલવા કહેવું. તેઓ જે નામો બોલે, એ જ વાપરવા. (એકબીજાને એકબીજાએ કહેલા નામો કહેવા નહિ, એટલે એક જ નામ બે વાર પણ બોલાય, તો એ એક જ દ્રવ્ય વાપરવાનું થાય.). ગ્રુપમાં જેટલા મહાત્માઓને આંબિલ હોય, તે બધાને કોઈપણ એક દ્રવ્યનું નામ

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128