________________
N
,
,
,
,
,
,
,
-~~~-~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ —————— બાદ આ વિચાર આવે છે અને ખરેખર અંતરમાં ઘોર વલોપાત થાય છે, આ લખતી વખતે પણ આંસુઓથી આંખો ભીંજાયેલી છે.
મારા આ પ્રમાદ બદલ આપ મને ક્ષમા આપશોજી. લિ...
(છૂટા પડ્યા બાદ એ મુનિરાજે માત્ર પાંચેક વર્ષમાં તો જબરદસ્ત મોટી હરણફાળ ભરી. ૮ માસના સ્વાધ્યાયથી શાસ્ત્રાભ્યાસ કરવામાં તો પકડ આવી જ ગઈ હતી, પછી પોતાના પ્રદાદા ગુરુદેવના માર્ગદર્શન પ્રમાણે પીસ્તાલીશ આગમોનું ટીકા સાથે વાંચન સંપૂર્ણ કર્યું. એક ઉત્તમ કોટિના જ્ઞાનસંપન્ન અધ્યાપક મુનિ બન્યા. આજે એમના ગ્રુપમાં આશ્રિતોને ભણાવે પણ છે અને સ્વયં પોતે ભણે પણ છે.)
ઉચ્ચકોટિની ખાનદાની મુનિવર ! આપણે એક કામ કરીએ. પાઠ લેવા માટે જરાક અંદરની બાજુ બેસીએ. જુઓ, આપણે આ લોબીમાં ખુલ્લા ભાગમાં બેઠા છીએ ને? તો સામે જ વડલા નીચે બહેનો બેઠેલા છે. આપણી એમના પર કે એમની આપણા પણ નજર પડે, એ સારું ન લાગે ને ?”
પાઠ આપનારા સાધુએ નૂતન મુનિરાજને ટકોર કરી. કલિકુંડ તીર્થનું એ રમણીય વાતાવરણ સ્થાપના શત્રુંજય પાસેના ઉપાશ્રયની ચારે બાજુ ખુલ્લી લોબી જેવી બેસવાની જગ્યા ! સાંજનો છ વાગ્યાનો સમય !
શિશુપાલ વધ કાવ્યનો પાઠ લેવા આપવા માટે બે મહાત્માઓ રોજીંદા ક્રમ પ્રમાણે ત્યાં બેઠા. નૂતનમુનિને બરાબર દીક્ષાના બે માસ પૂર્ણ થયા હતા. અધ્યાપક સાધુ ગંભીર-પીઢ-પરિપક્વ! એ સ્થાને બેઠા બાદ એમને ખ્યાલ આવ્યો કે સામે જે મોટું ઝાડ છે, ત્યાં યાત્રિક બહેનો સાંજના સમયે વાતો કરતા કરતા Time Pass કરતા હતા. એટલે જ અધ્યાપક મુનિએ એ જગ્યા છોડીને જરાક અંદરની બાજુ બેસવાનું સૂચન કર્યું.
પણ નૂતનમુનિનો મૂડ એ વખતે જુદા પ્રકારનો હતો, વળી નવા હોવાથી પોતાના ગુરુના સૂચન પ્રમાણે બરાબર ચાલવાની એમની ભાવના પણ જબરી ! ગુરુએ એમને કહેલું કે “તમારે સ્વાધ્યાય માટે અલાયદા બેસવું. એ લોબીનું સ્થાન તમારા માટે ખૂબ જ સરસ છે, એટલે ત્યાં જ બેસજો. તમારા સ્વાધ્યાયમાં વિક્ષેપ નહિ પડે.”
એટલે એમણે અત્યારે વડીલ + અધ્યાપક એવા મહાત્માની વાત તરત સ્વીકારવાના બદલે