Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 50
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ આખું શરીર એકદમ પીળું પડી ગયેલું. ઉંમર હશે આશરે ૨૧ વર્ષ ! મહાત્મા વિચારમાં પડ્યા. ‘આ બહેન તો કોમામાં છે, બેભાન છે. હું માંગલિક સંભળાવું, પણ એ ક્યાં સાંભળવાના છે ?' ‘શું નામ છે તમારી દીકરીનું ?' ભાઈએ નામ કહ્યું. ‘જરાક નામથી એને બોલાવો ને ?’ “સાહેબજી ! એ તો સાત દિવસથી કોમામાં છે. એને નામથી બોલાવવાનો કોઈ અર્થ નથી.” ‘છતાં એકવાર નામથી બોલાવો તો ખરા ?' મહાત્માના આગ્રહને કારણે પપ્પાએ દીકરીને નામથી બોલાવી. અને આશ્ચર્ય સર્જાયું. દીકરીએ એક જ પળમાં આંખ ખોલી. જે કામ સાત દિવસની દવાઓથી માંડીને કોઈપણ ઉપાયથી ન થયું. એ કામ ખાલી નામના ઉલ્લેખ માત્રથી થઈ ગયું. આખો પરિવાર આનંદના આંસુ વહાવવા લાગ્યો. મહાત્માએ નવકાર-માંગલિક સંભળાવ્યું, છોકરીએ હાથ જોડી સાંભળ્યું. છેલ્લે મહાત્માએ ઓઘો ઉંચો કર્યો. ‘આ રજોહરણ લઈને પછી જ જીવન પૂરું કરશો ને ?’ ૨૧ વર્ષની કન્યાએ ભયંકર બિમારી વચ્ચે, આંખો પટપટાવીને, જરાક માથું હલાવીને સંમતિ આપી અને મા-બાપની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. એ જ પળે છોકરીએ છેલ્લા ડચકા ખાધા, પ્રાણ નીકળી ગયા. (માત્ર છેલ્લી પાંચ-દસ મિનિટ માટે આંખ ખુલવી, સાધુના અને ઓઘાના દર્શન થવા, એની હાર્દિક સંમતિ આપવી... અને તરત જ પ્રાણ નીકળી જવા... આવું ઉત્તમ મરણ આપણને સૌને મળે એ જ પ્રભુને અંતરથી પ્રાર્થના !) વિનય વડો સંસારમાં કારતક વદ ચૌદસ ૨૦૬૮ના વહેલી સવારે ૮ મહાત્માઓ ઉત્તર ગુજરાતના એક શહેરમાં જઈ ચડ્યા. ગામના ઉપાશ્રયમાં માત્ર બે જ કલાક રોકાઈને સોસાયટીમાં જતા રહેવાનો અને ત્યાં જ મહિનો રોકાઈ જવાનો નિર્ણય ગામના લોકોની લાગણીસભર વિનંતિને જોઈને બદલવો પડ્યો અને માગસર સુદ અગ્યારસ સુધી ત્યાં જ રોકાણ કરવામાં આવ્યું. આઠ મહાત્માઓમાં બે વડીલ મુનિવરો હોવા છતાં, નાના સાધુ પણ તૈયાર થાય, એ હેતુથી १८

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128