________________
-~~~-~~-~- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ——————— આપ્યું. ઘણા વખતથી મલિન બનેલી દસીઓ અચાનક જ ઉજળી બની ગયેલી જોઈને પંન્યાસજી મને પણ આનંદ થયો. હા ! વિભૂષાનો નહિ, પણ નાના સાધુમાં રહેલા અવ્વલકોટિના વિનયવૈયાવચ્ચ-ઔચિત્ય-ઉત્સાહ ગુણની વિભૂષાનો !
(મોટા ગચ્છમાં અનેક પદવીધરો હોય. એમ આ ગચ્છમાં પણ આ પંન્યાસજી પેલા નાના સાધુના ગુરુ ન હતા, ઉપકારી પણ ન હતા, વિશિષ્ટ પ્રભાવક પણ ન હતા. આવું કંઈક હોય, અને નાના સાધુને ભક્તિનો ભાવ ઉછળે એ બની શકે. એને બદલે માત્ર “એ વડીલ છે, સંયમી છે.” એ ભાવથી જ નાનાએ આવું ઔચિત્યસેવન કર્યુ છે. આખે ઉડીને વળગે એવું છે ?
કરુણાભીની આંખોમાંથી... “ગુરુજી ! ગલુડીયાઓની ચીસો ક્યારની ય સંભળાય છે. ૨-૩ વાર બહાર જોઈ આવી, પણ ક્યાંય દેખાતા નથી.” એક સાધ્વીજીએ પોતાના ગુરુજીને વાત કરી.
એ સમય હતો જાન્યુઆરી-ફેબ્રુઆરીનો ! કડકડતી ઠંડીનો ! રાત્રિના ૧૧-૩૦ થી ૧૨-૦૦નો !
સ્થાન હતું ઔરંગાબાદ શહેર ! એનો એક ઉપાશ્રય ! સાધ્વીજીએ ગુરુજીને ઉઠાડીને ઉપર મુજબ વાત કરી. “અરે, તું હજી જાગે છે? આટલા મોડા સુધી? શું થયું?” ઉઠેલા ગુરુજીએ સામો પ્રશ્ન કર્યો.
“સંથારો કરી જ દીધેલો, પણ ગલુડીયાઓની ચીસો સાંભળીને ઉઠી ગઈ. બે-ત્રણ વાર બહાર પણ નજર કરી આવી, પણ ગલુડીયા ક્યાંય દેખાતા નથી. આ તો રાતનો સમય ! એટલે આપને ઉઠાડ્યા. એક વાર ફરી ધ્યાનથી જોઈ આવું.” એટલું કહીને સાધ્વીજી ઉપાશ્રયના બારણામાંથી જરાક બહાર નીકળ્યા, ગુરુજી જાગી ગયા હોવાથી હવે ભય ન હતો. એટલે જરાક ધ્યાનથી નજર કરી તો ઉપાશ્રય પાસેથી જ જે જમીનમાં ગટર પસાર થતી હતી, એમાંનો એકાદ પત્થર હટી ગયેલો, ગમે તે રીતે બિચારા ૩-૪ ગલુડીયાઓ એક પછી એક પડી ગયેલા. બહાર નીકળી શકે એમ ન હતા, રાતની ઠંડી અતિસખત હતી, ગટરની ભીનાશ, વહેતું થોડુંક પાણી... એ વળી વધારે ઠંડી ઉભી કરતા હતા.
સાધ્વીજી ગલુડીયાઓનું એ દુઃખ જોઈ ન શક્યા, રડવા લાગ્યા, તરત પાછા ફરીને ગુરુજીને વાત કરી. “આપ મને રજા આપો, હું એ ગલુડીયાઓને બહાર કાઢી લઈશ. અત્યારે કોઈ ગૃહસ્થ છે જ નહિ. નહિ તો તો એને વાત કરત. અને રાતે બાર વાગે કોને કહેવા જવું? શું આખી રાત ગલુડીયાઓને દુઃખી થતા જોયા કરવાનું? અને બિચારા રાતે જ મરી જાય તો? હજી તો પાંચેક કલાક વહેલી સવાર પડતા ઓછામાં ઓછા બાકી છે.