________________
~~~~~~«€ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ~~~~ વડીલ મુનિ આ બધું સાંભળીને ખૂબ જ આનંદ પામ્યા.
સંસારી માતાપિતાની સંયમકટ્ટરતા માટેની આવી ઉદાત્તભાવના એમને પહેલી જ વાર નિહાળવા મળી.
(એક મિનિટ –
સંસારીઓ ભલે ગમે એટલા ભોગ માર્ગે આગળ વધ્યા હોય, છતાં અંતે તો આજે પણ તેઓ ત્યાગના-વૈરાગ્યના પૂજક છે. તમે માનશો જ નહિ, કે “જમાનો બદલાઈ ગયો છે. બાહ્ય દૃષ્ટિએ જમાનો ગમે એટલો બદલાયો હોય તો પણ લોકોના હૈયામાં આજે પણ ત્યાગનો રાગ, સંયમનો રાગ જીવતો બેઠો છે.
આપણે સૌ જાગ્રત-સાવધ બનીએ.
શ્રાવક-શ્રાવિકાઓ આપણા જીવનથી ધર્મ પામે કે ન પામે, એ પછી વાત ! પણ કમસેકમ અધર્મ તો ન જ પામે એવું જીવન આપણે જીવીએ.)
सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो धर्मः
એક મુનિરાજની સાથે વાતચીત... બે મુનિરાજો ભેગા થયા, ત્યારે એમના વચ્ચે જે વાતચીત થઈ, તે કંઈક નીચે પ્રમાણે હતી. પ્રશ્ન : તમારા ગ્રુપમાં ઘડો નથી વાપરતા ?
ઉત્તર : ના. અમદાવાદી ઘડા લગભગ આપણા માટે બને એટલે આધાકર્મી થાય. બીજા બધા ઘડાઓમાં પણ જયણા ઓછી સચવાય. મોટું નાનું, પેટ મોટું, માટીનો રંગ પણ અંધારું ઉભું કરે... એટલે એમાં ઘડાની અંદર જીવો બરાબર ન દેખાય.
વળી ચોમાસામાં ઘડો સુકાય નહિ, એ મુશ્કેલી ! એટલે અમારા ગ્રુપમાં પ્રાય: અમે ઘડો નથી વાપરતા. આમ પણ ચોમાસામાં અને શિયાળામાં ઘડાની જરૂર નથી હોતી. ઉનાળામાં ય અતિગરમીવાળા બે મહિના મુશ્કેલી પડે, પણ એટલું તો સહન કરી લઈએ. લોટમાં મોટું મોટું અંદર સ્પષ્ટ બધું દેખાય... બધી જ રીતે એમાં જયણા સચવાય. અલબત્ત એ લોટ બનાવવામાં ય આધાકર્માદિ દોષ લાગતા હશે. પણ તો ય લોટ તો વર્ષોના વર્ષો ચાલે ને ? એટલે એમાં વારંવાર તો દોષ ન લાગે ને ?...
વળી ઉપાશ્રયમાં રાખી મૂકેલા ઘડામાં કરોળિયાના જાળા વગેરે થાય, એટલે જો ઉપાશ્રયના ઘડા વાપરીએ તો એ જાળા તૂટવા - કરોળીયાઓનો ઘરભંગ થવો... વગેરે દોષો લાગે. વળી ઉનાળામાં ઘડાની નીચે સેંકડો કીડીઓ - મચ્છરો આવી બેઠા હોય, ઘડો નમાવીને પાણી લેતા