________________
-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~ જ લખે. કુલ ઠાણા-૧૩ ! કોઈ એમની ભક્તિમાં ભાગ પડાવે, સહાય કરવા આવે તો એમને ન ગમે.
મને એકલાને ભક્તિ કરવા દો.” એવો સ્વાર્થી (!) સ્વભાવ ! વાપરનારા જેટલા વધે, મહેમાન સાધુઓ વધે એટલો એમનો આનંદ આસમાનને આંબે.
જે એમને ઠપકો આપે, એમની એ વિશેષથી ભક્તિ કરે. “ખોટું લાગવું એટલે શું?” એ કદાચ એમણે પોતાની જીંદગીમાં અનુભવ્યું નહિ હોય.
– ઓઘાનો પાટો ભરવો - પાત્રા રંગવા - ઓઘો ટાંકવો વગેરે તમામ સાધુજીવનના કાર્યોમાં એ પાવરધા.
પૂ.પાદ નીતિસૂરિજી સમુદાયના આચાર્યદેવ પૂ. હેમપ્રભસૂરિજી મ.ના ગ્રુપના આ મહાત્મા ક્યાંક મળી જાય તો દર્શન-વંદનનો લાભ ચૂકશો નહિ. (ગુરુ ઠપકો આપે, ને આપણને ખોટું લાગે, ગોચરી માંડલીમાં વ્યવસ્થાપક આપણને અનુકૂળ વસ્તુ ન આપે તો આપણને ખોટું લાગે, શ્રાવકો આપણા કહ્યા પ્રમાણે ન કરે, તો આપણને ખોટું લાગે... ગુરુ પાસે આપણી જાત-જાતની અપેક્ષાઓ હોય, ગુરુ એ પૂરી ન કરે તો ખોટું લાગે...
આપણો સ્વભાવ કેવો? વાતે વાતે ખોટું લાગી જાય, અબોલા લઈ લઈએ, સહવર્તીઓ સામે પણ મોટું ચડાવીને ફરીએ, ગુરુ સામે પણ ભારે મૌન-ઉદાસીન મોઢું રાખીને એમને મુંઝારો ઉભો કરાવીએ.
અહંકારમાંથી ઉભો થતો આ દોષ આપણા મિત્રોને, કલ્યાણમિત્રોને આપણાથી દૂર ધકેલે છે. આપણે અતડા-ક્રોધી-ચીડિયા સ્વભાવવાળા - જીદ્દી બની જઈએ છીએ.
પ્રસ્તુત પંન્યાસજીને યાદ કરીને સંલ્પ કરીએ કે “મારે હવે કોઈપણ બાબતનું ખોટું લગાડવું નથી.”)
ગુરુ મોદે મારે શબ્દો જી ના... શું સમજો છો તમે તમારા મનમાં ? મારી નજર સામે પોણો કલાકથી પેલા છોકરા સાથે ગપ્પા મારો છો, તમને મારો ભય પણ નથી ? સ્વાધ્યાયને બદલે આવા ધંધા કરવા બેઠા છો ? એ બિલકુલ નહિ ચાલે...” મુંબઈ પ્રાર્થનાસમાજના ઉપાશ્રયમાં બનેલો આ પ્રસંગ ! - ગુરુએ પોતાના યુવાન શિષ્યને સખત ઠપકો આપ્યો. રાત્રે પ્રતિક્રમણ બાદ શિષ્યને કોઈક છોકરા સાથે વાતો કરતો જોઈ, નજર સામે જ પોણો કલાક સુધી એ વાતચીત થતી દૂરથી જોઈને ગુરુને ખૂબ દુખ થયું. સ્વાધ્યાયને બદલે આ રીતે ગપ્પા મારવાની પ્રવૃત્તિ પોતાના શિષ્યો કરે એ એમને બિલકુલ