Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ આ અનુવાદગ્રન્થમાં દરેક ગાથાનું વિસ્તારથી હદયંગમ વિવેચન છે. સ્વ અને પરમતની તુલના, દાખલા-દલીલો, બેધક દષ્ટાન્ત અને રસપ્રદ વિસ્તૃત કથાઓ વગેરે સામગ્રીના ખજાનાથી પરિપૂર્ણ એવો આ અનુવાદગ્રથ પૂજ્ય મુનિરાજશ્રીએ એટલે તે સુંદર અને રોચક બનાવ્યો છે કે-જે અનુષ્ઠાન નહિ કરનાર વાચકને અનુષ્ઠાનને આદર કરાવ્યા વિના રહે નહિ, અનુષ્ઠાનકારકને અમીના ઘુંટડા આપ્યા વગર રહે નહિ ! જ્ઞાનની સાથે આત્માનંદમાં મસ્ત બનાવે એ આ અનુવાદગ્રન્થ હોવાથી જ આ ગ્રન્થની ગૌરવતા છે. શ્રીયુત બદામીસાહેબના શબ્દમાં કહું તે આ “વદિ સૂત્ર” એ શ્રાવકનાં આવશ્યકસૂત્રમાં મહત્વનું સ્થાન ભગવે છે. આ “વંદિત્ત” સૂત્ર ઉપર ભાષ્ય, ચૂર્ણિ, ટકાઓ ઘણું છે; પરંતુ તે બધી પ્રાકૃત અને સંસ્કૃતમાં હેવાથી તે તે ભાષાથી અજ્ઞાત પ્રજા તેને લાભ લઈ શકે નહિ, તેથી આવા મહત્વના સૂત્રની અર્થદીપિકા જેવી અદ્દભૂત ટીકાના આવા સુંદર અને સરલ અનુવાદની અનિવાર્ય જરૂર હતી, તે પૂજ્ય પ્રસિદ્ધ મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજે તલસ્પશી પણ શુદ્ધ રીતે લખી આ અપૂર્વ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવાવડે જૈનજનતા ઉપર અપાર ઉપકાર કર્યો છે. આવશ્યકસૂવનું અનુષ્ઠાન કરનારે લોકોત્તર આવશ્યક કર્યું ક્યારે કહેવાય? તે વિચારવું બહુ જરૂરી છે. તે વિચાર પૂર્વક અનુષ્ઠાન કરવામાં આવે છે તે અનુષ્ઠાન, આરાધકને તથા પ્રકારે લાભપ્રદ બને. આથી આ સ્થળે તે સંબંધી ટુંક વર્ણન એગ્ય ગણાશે. લોકોત્તર આવશ્યક કેને કહેવાય? તે સંબંધી શાસ્ત્રમાં રીત જણાવી છે કે-“આવશ્યક ક્રિયા કરનારનું ચિત્ત, ક્રિયા દરમ્યાન આવશ્યકક્રિયામાં રક્ત રહે, આવશ્યકમાં જ શુભ પરિણામની લેશ્યા હોય, વિચારધારા આવશ્યકમાં જ રહેતી હોય, અધ્યવસાય પણ આવશ્યકથી જ રંગાએલા હોય, આવશ્યકના અર્થમાં જ મને મમ હોય અને આવશ્યક સાધી આપનાર” શરીરરજોહરણ (ચરવળ –મુહપત્તિ વગેરે સાધનને યથેચિત ક્રિયામાં યોજીને ત્રિકરણોગે ભાવપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવતું હોય” તે રીતે કરાતાં અનુષ્ઠાનને લોકોત્તર આવશ્યક કહેવાય છે. શ્રી “વંદિતુ સૂર જેવા આવશ્યકના મહત્વના અંગભૂત સૂત્રની અર્થદીપિકાને બનાવવામાં આવેલો આ તલસ્પર્શી અનુવાદ, વિચારક વાચકને તે આવશ્યકના અનુષ્ઠાનમાં તેવા ભાવપૂર્વકને સુંદર આત્મિક આસ્વાદ આપવા સમર્થ છે. કારણ કે-તેમાં સૂત્રના અો, ટીકા અને ટીકાના ભાવને સ્પર્શતી પદ્ધતિએ બરાબર સમજાવેલા છે ! જેથી આ આવશ્યક બોલનારને નિ:સ્વાદ લાગે નહિ, તેના અધ્યવસાયની શુદ્ધિ બરાબર જળવાઈ રહે અને તેથી અતિચારની મલીનતા જદીથી દૂર થઈ શકે તેમ છે. એ રીતે અનુષ્ઠાન કરનાર, આ અનુવાદગ્રંથના વાંચન, મનન અને પરિશીલનથી ઇચ્છિત ફળને પામી શકે તેમ છે, તેથી પણ આ અનુવાદગ્રંથની સર્વોતમતા છે. મુખારવિંદ ઉપરની મલીનતા (ડાઘા) ને દર્પણ દેખાડે છે, અને હાથથી તે ડાઘાને તરત દૂર કરી મુખ ઉજવળ બનાવી શકાય છે, તેમ આ અનુવાદરૂપ દર્પણ, આત્માની ઉપર લાગેલ અતિચારરૂપ મલીનતાનું ભાન કરાવે છે, અને બતાવી આપેલા નિર્મળ પરિણામરૂપ હાથથી મલીનતાને દૂર કરી આત્માને ઉજવળ-નિર્મળ બનાવી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 558