________________
સમયસાર : આત્મખ્યાતિ
એવા આ ભાવસ્તવ-દ્રવ્યસ્તવરૂપ ભક્તિના અવલંબને સિદ્ધપણે સાધ્ય આત્માને આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એટલા માટે જ અત્રે ભગવાન શાસ્ત્રકર્તા - “આત્મખ્યાતિ' કર્તાએ ભાવસ્તવ - દ્રવ્યસ્તવથી આ સિદ્ધ ભગવાનોને પરમ ભક્તિથી પોતાના આત્મામાં અને શાસ્ત્ર “આત્મખ્યાતિ' - વ્યાખ્યાનો સ્વાધ્યાય કરનારા પરના આત્મામાં નિધાનની જેમ ધારણ કર્યા છે અને કરાવ્યા છે, દેહપર્યાય નાશ પામે પણ આત્મા નાશ ન પામે, મન-વચન-કાયાના યોગ થાકે પણ આત્મભાવ ન થાકે, એટલે સદા સ્થાયી “આત્મામાં' અને આત્મભાવમાં સ્થાપન કર્યા છે - કરાવ્યા છે, અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રતિમા સિદ્ધ ભગવાનનું જેમ સિદ્ધાલયમાં શાશ્વત સુપ્રતિષ્ઠિતપણું છે, શુદ્ધચૈતન્યપ્રતિમા સિદ્ધ ભગવાનના પ્રતિબિંબ રૂપ ધાતુ-પ્રતિમાનું જેમ જિનમંદિરમાં સુપ્રતિષ્ઠિતપણું છે, તેમ આત્માના અંતરાત્મારૂપ નિજ મંદિરમાં આ સિદ્ધ ભગવાનનું ત્રણે કાળમાં ન ચળે એવું સપ્રતિષ્ઠિતપણું કર્યું છે અને આત્મામાં જે આ સુપ્રતિષ્ઠિતપણું કર્યું છે, તે પણ પરમ નિધાનની જેમ સુપ્રતિષ્ઠિતપણું કર્યું છે. કોઈ મહામૂલ્યવાન નિધાન-ખાનો હોય તો તેની રક્ષા માટે કેવી તકેદારીથી રાતદિવસ કેવો જાગ્રત રહે ? તો પછી આ તો અચિંત્ય તત્ત્વચિંતામણિ સ્વરૂપ અનંત ગુણરત્નના પરમ નિધાન શુદ્ધચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા-સિદ્ધ ભગવાન તેને તો કેટલા પ્રયત્નતિશયથી, કેટલા આદરાતિશયથી, કેટલા ભજ્યતિશયથી વકીલકની (વજના ખીલાની) જેમ આત્મામાંથી એક ક્ષણ પણ ખસે નહિ એમ સુરક્ષિતપણે રાખવા જોઈએ, તે વગર કહ્યું સ્વયં સમાય છે.
સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે !” - શ્રીમદ્ રાજચંદ્રજી
(શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનું અંતિમ કાવ્ય અં. ૫૪)