Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વરંગ હતો કે આ કાર્ય પતે ઉપાડશે તે વિના વિદને પાર ઉતરી જશે. વળી સોસાયટી પક્ષ તે આ કાર્યમાં સહાયક હતે. ઉપરાંત અમદાવાદના સંધ તરફથી વડેદરા રાજ્ય સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને વિરોધ પણ થયો હતો, એટલે સાધુસંમેલન માટે અમદાવાદના ક્ષેત્ર પરજ તેમની નજર ઠરી અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ સાથે વાટાઘાટ થઈ, જેના પરિણામે તેઓ સંમેલનનો ભાર ઉપાડવા કટિબદ્ધ થયા.
સાધુસંમેલન ભરવાની આ હિલચાલ સુધારક વર્ગ બારીકાઈથી નિહાળી રહ્યો હતો. આજ સુધી જે સંમેલન ભરવા માટેની તમામ વિનંતિઓ અને પ્રયાસ નિષ્ફળ નિવડ્યા હતા, તે હવે કેમ સક્રિયરૂપ લઈ રહ્યાં હતાં, તેનાં કારણે તેમની ધ્યાન બહાર હતાં નહિ. વળી સાયટી પક્ષ શા માટે તેમાં આટલો બધે રસ ધરાવતા હતા તે પણ તેઓ સારી રીતે સમજતા હતા. છતાં સાધુઓ જે એકત્ર મળતા હોય ને કોઈ પણ જાતનું સંગઠન કરી જૈન સમાજની ઉન્નતિને માર્ગ મકળે કરતા હોય તે તેમાં તેમને આનંદજ હ; તેથી તેઓ શાંતિથી આ હિલચાલ નિહાળી રહ્યા.
પરંતુ આ કાર્યની શરૂઆત જે યોગ્ય પદ્ધતિથી થવી જોઈએ તે ન થઈ. આવું મહાન કાર્ય કરવા માટે મુખ્ય મુખ્ય આચાર્યોની સંમતિ તથા મોટી જૈન વસ્તીવાળાં શ્રી સોના અભિપ્રાય અને સહકાર માગવાં જરૂરી હતાં. તે પણ કઈ અગમ્ય કારણે ન માગવામાં આવ્યા અને કેવળ અમદાવાદ પરજ મદાર રાખી કામ આગળ ચલાવવામાં આવ્યું.
આ અરસામાં જ શ્રી વિજ્યવલ્લભસૂરિ કાઠિયાવાડમાં વિચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org