Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂવરંગ
સમાજના શુભેચ્છા સાધુ સંસ્થાનું અનિચ્છનીય વાતાવરણ દૂર કરવા માટે સાધુસંમેલનની આવશ્યકતા કેટલાક વર્ષોથી દર્શાવી રહ્યા હતા ને તે સંબંધમાં બે ત્રણવાર છુટા છવાયા પ્રયાસો પણ થયા હતા પરંતુ કોઈ પિતાની વાત છેડવાને તૈયાર નહિ હોવાથી તે વાત એટલેથીજ અટકી ગઈ હતી. પરંતુ વડેદરા રાજ્ય સંન્યાસ દીક્ષાનિયામકનિબંધે સમસ્ત સાધુ વર્ગની આંખો ઉઘાડી દીધી. તેમને કોઈ પણ પૂછનાર નથી એ માન્યતાને લેપ થયે, એટલું જ નહિ પણ પિતાની જાતે જે કોઈપણ સુવ્યવસ્થાને સ્વીકાર નહિ કરે તે બીજા રાજ્યોમાં પણ આવા કાયદાઓ થશે તેવા ભણકારા કાનપર અથડાવા લાગ્યા અને તેથી પહેલી તકે સાધુસંમેલન ભરી કંઈક પણ કરવું જોઈએ એવા વિચારોને પ્રચાર થવા લાગ્યા. સમય પરિપકવ થયો હતો એટલે મોટા ભાગને તે વિચારે પસંદ પડ્યા ને પ્રસ્તુત સાધુસંમેલન ભરવાના પ્રયાસ શરુ થયા.
T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org