Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
સા. સં. ભરવાનાં તાત્કાલિક કારણે હિમાયતીઓ તરફથી ધાંધલ મચાવવામાં આવ્યું. વાસ્તવિક રીતે તે ઠરાવ સાવ સામાન્ય હતું પરંતુ દીક્ષાઘેલાએ દીક્ષાના પ્રશ્નને કઈ આંગળી પણ અડકાડે તે ચાહતા નહોતા. આ પ્રકરણથી મામલે વધારે વિફર્યો. કડવાશની માત્રા અનેકગણું વધી ગઈ, દીક્ષાનાં તેફાનો વધારે જોરથી ચાલુ રાખવામાં આવ્યા ને ગમે તેવી વિનતિઓ ને સમજાવટો નિષ્ફળ નિવડી. કોઈ પણ વસ્તુને જ્યારે અતિરેક થાય છે ત્યારે તેને બદલે સ્વતઃ મળી રહે છે એ પ્રકૃતિને અકાટય નિયમ છે. તે અનુસાર વડોદરા રાજ્યમાં આ દીક્ષાનાં તોફાનો વધુ થતાં સુધારપ્રેમી વડોદરા નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે એ પ્રશ્નહાથ ધર્યો ને વડોદરા રાજ્ય ધારાસભાએ સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ પસાર કરવા માટે જાહેર મતની માગણી કરી. તે અંગે રૂઢિચુસ્ત અને સુધારક બંને પક્ષોમાં ભારે ઝુંબેશ ચાલી અને પ્રબળ લેક મત કેળવાઈ ગયે. બાળદીક્ષાના હિમાયતીઓએ અનેક વિધ પ્રયત્ન કરવા છતાં એ નિબંધ પસાર થયો ને તેમની પ્રવૃત્તિ પર જીવલેણ ફટકે પો.
આ સમય દરમ્યાન શ્રી વિજય લબ્ધિસૂરિએ પાટણ સંધના ઠરાવની અવગણના કરવાથી પાટણના સંઘે તેમને સંધ બહાર મૂક્યા ને શ્રી સાગરનંદસૂરિએ જામનગરના સંધની અવગણના કરવાથી જામનગરના સંઘે તેમને સંધબહાર ક્ય. આ વસ્તુસ્થિતિમાં પિતાની ભૂલો કબુલ કરવાને બદલે તેમણે શ્રી સ સામે કમ્મર કસી ને આવા સંઘો તે હાડકાના માળા સમાન છે એવાં અભિમાનભરેલાં વચનો ઉચ્ચાર્યા.
આ બધા બનાવાની પરંપરાથી સમાજમાં વૈમનસ્યને વધારે થતો જ ગયો.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org