Book Title: Pradyumna Charitra Part 02
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 13
________________ નથી સાંભળ્યું ? અરે અવિચારી ! કેઈએ તને છેતર્યો છે, જેથી તું અહીં આવ્યો. મદન બેલ્યોઅરે સુરાધમ ! વૃથા શું બબડે છે? મારી સાથે યુદ્ધ કર. શૂરવીર અને કાયર જનનો ભેદ તને સ્પષ્ટ કરી બતાવીશ. મદનનાં આવા વચન સાંભળી તે દેવતા મદન ઉપર ધસી આવ્યો. બંને શુરવીરોએ પરસ્પર ઉગ્ર યુદ્ધ કરવા માંડયું. વચન, તર્જન, લપડાક અને મુષ્ટિએથી તે બલવાન્ દેવતાએ ચિરકાળ યુદ્ધ કર્યું, પણ આખરે મદને તેને જિલી લીધે. પરાભવ પામેલા દેવતા મદનના ચરણમાં નમીને બોલ્યો–સ્વામી ! હું તમારો કિંકર છું. મહાભાગ ! તમે મારા સ્વામી છે. મારી ઉપર કૃપા કરો. પછી તે દેવતાએ મદનને એક સિંહાસન આપ્યું, તેની ઉપર બેશી મદન બે –ભદ્ર ! તું કોણ છે? આ ગુહામાં કયાંથી આવી રહ્યા છે ? તે અસુર વિનયથી. શરીર નમાવી બેલ્ય–સ્વામી ! સાંભળે, મારું વચન સત્ય માનજો. આ ગિરિ ની ગુહામાં હું તમારે માટેજ રહ્યું હતું. આ પર્વત ઉપર “અલંકારપુર” નગર હતું, તે સમૃદ્ધિવાન, લેકોની ઘાટી વસ્તીવાળું અને સર્વ Jun Gun Aaradhak trusi P.P. Ac. Gunratpasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 293