________________
मो
શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ
|| ૩ ||
ण
भ
દા
स्स
મ
ચાર દ્વારો હોય તેમ આ અધ્યયનના પણ ચાર અનુયોગદ્વારો (વ્યાખ્યાનદ્વારો) છે. તે આ પ્રમાણે (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય.
અધ્યયનની શરૂઆતમાં આ ચાર દ્વારોનો ઉપન્યાસ કરવા પાછળ શું પ્રયોજન છે ? અને પહેલું દ્વાર ઉપક્રમ, બીજું નિક્ષેપ...... એમ આ ચા દ્વારોનો આ જ ક્રમથી ઉપન્યાસ કરવા પાછળ શું પ્રયોજન છે ? એ પણ (આવશ્યકમાં) કહી દીધું છે.
'મ
તે ચાર દ્વારોમાં ય ઉપક્રમ અને નિક્ષેપ દ્વાર કહેવાઈ ગયા છે. અત્યારે અનુગમદ્વારનો અવસર છે.
તે બે પ્રકારે છે : નિર્યુક્તિ-અનુગમ અને સૂત્રાનુગમ.
તેમાં નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે : (૧) નિક્ષેપનિર્યુક્તિ (૨) ઉપોદ્ઘાતનિયુક્તિ (૩) સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ. એમાં નિક્ષેપનિર્યુકિત-અનુગમ કહેવાઈ ગયો છે (અન્યદ્વારમાં સમાવેશ પામેલો છે.) અને આગળ કહેવાશે પણ ખરો. ઉપોદ્ઘાતનિયુક્તિ અનુગમ આ બે દ્વારા ગામ્રાઓ વડે જાણવો. ઉદ્દેશ-નિર્દેશ...વગેરે.
આ બે ય દ્વાર ગાથાનો સમુદાયાર્થ (એક એક શબ્દનો વ્યુત્પત્તિ-અર્થ વગેરે નહિ, પણ એ સિવાય એનો સારભૂત અર્થ=સારાંશ) કહેવાઈ ગયો છે.
મ
भ
ओ
|| ૩ ||