Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashan Trust

View full book text
Previous | Next

Page 34
________________ સર્વકાળના પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે. સર્વ પ્રકારના પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે. સર્વ લોકના પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે. સર્વ રીતે પાપનો નાશ કરવાની શક્તિ નવકારમાં છે. 糖 # . * * નવકારમંત્ર એટલે તાવી-તાવીને ચોખ્ખું કરેલું શબ્દો ત્રણે કાળમાં ફરે નહીં. શ્રી નવકાર મહામંત્રના જાપની અસર ક્યારે? છીછરા વાસણમાં વલોણું ન થાય, તેમ અદ્વર- અદ્ધરથી શ્રી નવકારનો જાપ ન થાય. જાપને એકાગ્રતા જેટલો જ ગંભીરતા સાથે સંબંધ છે. બીજને ધરતીમાં વાવવું પડે છે, તેમ શ્રી નવકારના પ્રત્યેક અક્ષરને ઊંચા ભાવપૂર્વક મન મારફત પ્રાણોમાં પધરાવવો જોઈએ. અક્ષરમાં રહેલું ચૈતન્ય પ્રાણનો યોગ પામીને પ્રગટ થાય છે, તેથી જાપ કરનારા પુણ્યશાળીની ભાવના અધિક ઉજ્વળ બને છે, અને ઝોક સ્વાભાવિકપણે સર્વોચ્ચ આત્મભાવ–સંપન્ન ભગવંતોની ભક્તિ તરફ વળે. શુદ્ધ ઘી, નવકારમંત્રની આરાધનાના વાતાવરણથી વિરાધનાની દુર્ગંધ દૂર થાય છે. અને આરાધનાની સુવાસ ફેલાય છે. * નવકારમંત્રના મહિમાથી વિઘ્નો ટળે, આત્મામાં નિર્મળતા પ્રગટે, વાંછિત ફળે અને અગ્નિ પણ જળરૂપ બને, એવા આ મંત્રનો મહિમા અપરંપાર છે. ત્રણે કાળમાં નવકારમંત્ર શાશ્વત છે. સનાતન છે. દુનિયામાં બધા શબ્દો ફરે પણ નવકારમંત્રના લગભગ યાંત્રિક ઢબે થતો, શ્રી નવકારનો જાપ તેની વિશિષ્ટ શક્તિઓના લાભથી જીવને વંચિત રાખે છે. શ્રી નવકારમાં પંચ પરમેષ્ઠી ભગવંતો બિરાજમાન છે. એવું જાણવા છતાં તેના પ્રત્યેના આપણા પરમ પૂજ્યભાવમાં યાંત્રિકતા અને ઔપચારિકતા કાયમ રહે–તો તે ખરેખર શોચનીય ગણાય. સ્મરણ કરવા માત્રથી આત્માને જે અકલ્પ્ય લાભ થાય છે, તેના એક લાખમા ભાગનો લાભ પણ અન્ય વિષયને ભાવપૂર્વક સમર્પિત થવા છતાં થતો નથી. ૧૪ ઉલ્લાસપૂર્વક પંચ પરમેષ્ઠી ભગવંતોને યાદ કરવાથી આત્માની નજીક જવાય છે, આત્માની વધુ નજીક જવાથી આત્મભાવને છાજતી પ્રવૃત્તિઓમાં દિલ ચોટે છે, વિષયકષાયોને ભાવ આપવાના પરિણામ મંદ પડતા જાય છે, સ્વાધ્યાય, સંયમ, તપ. આદિમાં અદ્ભુત વેગ આવે છે અને બહિર્ભાવને માફકસરની વિચારણા વધુ સૂક્ષ્મ બનીને આત્મભાવનો પક્ષ કરે છે. ભવને વિવિધ પ્રકારે ભાવ આપીને ભાવથી આપણે નાના તુચ્છ ન બન્યા હોત, તો શ્રી નવકાર આપણને આજે તરત ફળતો જણાતો નથી તે જ નવકાર વડે આપણે જગત આખામાં દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની સર્વોચ્ચ ભાવનાની ભૂરીભૂરી પ્રભાવના કરી શક્યા હતા. પંચ પરમેષ્ઠી ભગવંતોને યાદ કરવાના અવસરે જ બીજી બીજી વાતો આપણા મનનો કબજો લઈ લે અને આપણે તે ચલાવી લઇએ તો તે આપણી કાયરતાની નિશાની ગણાય. પંચ પરમેષ્ઠી ભગવંતોનું ભાવપૂર્વક સતત જો ઇચ્છો ખરી જાગૃતિતો સદા સ્મરો નવકાર પ્રમાદ ન પીડે કદી-કષાય ન આવે દ્વાર.’૧૩ சு ભૂતકાળમાં આપણા પૂર્વજોએ પ્રભુજીના પરમ તારક શાસનની પ્રભાવનાનાં જે મહાન કાર્યો કર્યાં છે, તે પ્રકારના સર્વમંગલમય કાર્યો આજે આપણે પણ કરી શક્યા હોત. (‘‘અખંડ જ્યોત’’માંથી સાભાર)

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260