________________
નવકાર મહામંત્રનો પ્રભાવ
સાધ્વીમુખ્ય પૂ.સા. શ્રી હરખશ્રીજી મ.સા. લીલગગન, તળેટી રોડ, પાલિતાણા (સૌ.)-૩૬૪૨૭૦
(૧)
આ કૉમ્પ્યુટર યુગની અંદર પણ નવકાર મહામંત્રના ચમત્કારો બને છે. અને એ મહામંત્રની ભાવથી જે આરાધના કરે છે. એ મંત્રને જે સમર્પિત થઈ જાય છે, તે આજે પણ ફળીભૂત બને છે.
જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારની આ વાત છે. સં. ૨૦૦૪ અને ઈ. સ. ૧૯૪૭ની સાલ હતી, ત્યારે અમે બે ઠાણા હું તથા મારા શિષ્ય સા. શ્રી. રતનશ્રીજી ભચાઉથી ગામ પડાણા (વાગડ) તરફ જઈ રહ્યા હતા, ત્યારે ઘણા ગામવાસીઓએ ના પણ પાડી કે આજે વિહાર કરવામાં જોખમ છે. છતાં અમે વિહાર કરી લગભગ ૧ કિ.મી. ચાલ્યા હોઈશું ત્યાં સામેથી બ્રિટિશ સરકારની મિલિટરી ગાડીઓ લાઇનબંધ આવતી જણાઈ કારણ કે બ્રિટિશ સરકારને ભારત છોડોનો આદેશ મળી ગયો હતો. અમે ખૂબ ભયભીત બન્યા. કારણ કે તેઓ મનફાવે તેમ બોલતા હતા. અને ભારત દેશ છોડતાં છોડતાં પણ હજી લોકોને
ત્રાસ આપવાની વૃત્તિ ગઈ નહોતી. અમને એમ સાંભળવા મળ્યું કે બે ત્રણ સ્ત્રીઓને પણ તેઓ ઉપાડી ગયા. ત્યાર બાદ અમે નવકારમંત્રના રટણ અને સ્મરણમાં પરોવાઈ ગયા. સંપૂર્ણપણે નવકારને સમર્પિત બની ગયા, તેટલામાં સામેથી કોઈક અજાણી વ્યક્તિ દૂધની કાવડ લઈને આવતી જણાઈ, એ વ્યક્તિએ અમને સામે આવીને કહ્યું કે ‘‘તમે ગભરાશો નહિ, મારી સાથે ચાલો, હું તમને તદ્ન ટૂંકા રસ્તેથી ગામ તરફ પહોંચાડી દઈશ.'’
અમે એ વ્યક્તિ સાથે ચાલવા લાગ્યા, બહુ ઓછા સમયમાં કોઈક અજાણ્યા રસ્તેથી અમને એ ગામ તરફ લઈ ગયા. જ્યારે અમે ગામ નજીક
પહોંચ્યા ત્યારે અમે ભયથી મુક્ત બન્યાનો ઊંડો શ્વાસ લીધો પછી એ દૂધની કાવડવાળી વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા પાછળ જોયું તો પાછળ ન દૂધની કાવડ જણાઈ કે ન પેલી વ્યક્તિ જણાઈ, અમને આશ્ચર્ય થયું કે પેલી વ્યક્તિ અદૃશ્ય કેમ બની ગઈ? અમને લાગ્યું કે આ જો પ્રભાવ હોય તો તે નવકારમંત્રનો જ પ્રભાવ છે કોઈ દેવતત્ત્વ આવીને અમારી રક્ષા કરી ગયું. આ પ્રસંગ અમારા જીવનમાં પ્રથમવાર જ બન્યો ત્યારથી અમને નવકારમહામંત્રઉપ૨ના શ્રદ્ધામાં વધારે ને વધારે અભિવૃદ્ધિ થઈ.
(૨)
અમો પ્રથમવાર ‘‘લીલગગન’’ ઉપાશ્રયે (પાલિતાણા) ચાતુર્માસ પધાર્યા. સં. ૨૦૩૮માં આસો વદ-૮ ને દિવસે વાવાઝોડાની આગાહી તો હતી જ. તે દિવસે ધોધમાર વરસાદ આખો દિવસ ચાલુ રહ્યો. ગામના સર્વે કામકાજ પણ બંધ હતા. ઇલેક્ટ્રિક . વ્યવહાર પણ ખોરવાઈ ગયેલો, ચાતુર્માસાર્થે અમે ત્રણ ઠાણા સા. શ્રી હરખશ્રીજી સા. શ્રી રતનશ્રીજી, સા. શ્રી ચંદ્રોદયશ્રીજી બિરાજમાન હતા.
સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ લગભગ ૭ વાગ્યાનો સમય હતો, તેવામાં જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો, એક બાજુ વરસાદ બીજી બાજુ વાવાઝોડા સાથે વંટોળીયો, આખા ગામને તારાજ કરી દે તેવો લાગતો હતો. તે વાવાઝોડાને લીધે કેટલાય જૂનાં મકાનો જમીનદોસ્ત થઈ ગયાં. ભેંસોના તબેલાના છાપરાં ઊડી ગયાં, કેટલાંય તોતીંગ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં. વરસાદનું પાણી જમા થઈને જેમ નદીમાં પૂર આવે તેમ વહી રહ્યું
૧૯૪