________________
પં. અભયસાગરજી મ.ના અજબ અનુભવો
પૂ. ગણિવર્ય શ્રી મહાયશસાગરજી મ. C/o બી. કે. પારેખ
૫, પાર્શ્વદર્શન, જૂના નાગરદાસ ક્રૉસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-૬૯.
આગમ વિશારદ, સુવિશુદ્ધ સંયમી, પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ. વર્તમાનકાળના નવકાર મહામંત્રના ઉત્તમ કોટિના સાધકો પૈકી એક હતા. તેઓ દરરોજ રાત્રે ૧૧ થી ૧ા સુધી નવકાર મહામંત્રની સાધના કરતા હતા. પરિણામે તેઓશ્રીને ઘણા વિશિષ્ટ આંતરિક અનુભવો થતા. કેટલીક વાર ભવિષ્યમાં બનનાર ઘટનાનો પણ તેઓશ્રીને અગાઉથી ખ્યાલ આવી જતો. અહીં તેમના જીવનના થોડા પ્રસંગો રજૂ કરું છું, જે વાચક વૃંદને મહામંત્ર પ્રત્યે અતૂટ શ્રદ્ધા જગાડનાર બનશે.
એક વખત તેઓશ્રી પોતાના પિતા ગુરુદેવ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. આદિ મુનિવૃંદ સાથે કપડવંજથી બાલસિનોર થઈને (પંચમહાલ જિલ્લામાં) જતા હતા. ત્યારે બાલાસિનોરમાં રાત્રે નવકારની સાધના દરમ્યાન તેઓશ્રીને આંતરસૂચન મળી ગયું કે ‘ગોધરા સળગી ઊઠશે માટે આગળનો વિહાર મુલતવી રાખો...' તેમણે આ વાત પોતાના ગુરુદેવને કહી અને તેઓ ટીંબા ગામમાં રોકાઈ ગયા. ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે કોમી હુલ્લડના કારણે ગોધરામાં ચોમેર ભયંકર આગની આતશબાજી ખેલાઈ રહી છે!' ખરેખર, મહામંત્ર, માતા પોતાના બાળકનું રક્ષણ કરે તેથી પણ અધિક કાળજીપૂર્વક સાધકનું સર્વ રીતે રક્ષણ કરે છે. જરૂર છે શ્રદ્ધાપૂર્વક તેને સમર્પિત થવાની! ...જરૂર છે નિયમિત રીતે અનન્ય શરણભાવે એ માતાની ગોદમાં આળોટવાની!
ચાતુર્માસ પ્રવેશ માટે અમદાવાદથી વિહાર કર્યો. પણ રસ્તામાં જેઠ વદ ૩૦ ના રીક્ષા સાથે તેમનો અકસ્માત થયો. પગમાં ફેક્ચર થઈ ગયું. છતાં આત્મબળથી ૧૫ કિમી પગે ચાલીને વૈદ્યરાજ પાસે પહોંચ્યા. તેમણે ૧૮ દિવસનું પ્લાસ્ટર બાંધી આપ્યું. અને વિહાર ન કરવા ભારપૂર્વક જણાવ્યું. પરંતુ તેઓશ્રી રાત્રે નવકાર મહામંત્રની સાધનામાં સ્થિર થયા અને અજબનો ચમત્કાર સર્જાઈ ગયો. પાટો-ખપાટિયા બધું જ અદશ્ય થઈ ગયું. તે સાથે દર્દ પણ ગાયબ થઈ ગયું. જાણે કશું જ બન્યું ન હોય તેમ બીજે જ દિવસે તેઓશ્રીએ ઊંઝા તરફ વિહાર કર્યો અને સમયસર ચાતુર્માસ પ્રવેશ પણ થઈ ગયો!...
સામાન્યતઃ બીજા કે છેવટે ત્રીજા ‘હાર્ટ એટેક' પછી કોઈ પણ દર્દી જીવંત રહી શકે જ નહિ એમ ડૉક્ટરોનું માનવું છે. પરંતુ તેઓશ્રીએ મહામંત્રની સાધના દ્વારા ચાર-ચાર હાર્ટ એટેક આવવા છતાં પણ મૃત્યુની સામે ટક્કર ઝીલીને ડૉક્ટરોને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા! ...૪થા હાર્ટ એટેક પૂર્વે તેઓશ્રીએ નવકાર સાધના દ્વારા મળેલી અગમચેતી મુજબ શિષ્યવૃંદને કહી દીધું કે ‘મને ૭૨ કલાક સુધી જગાડવાની બિલકુલ કોશિષ કરશો નહિ. કોઈ પણ પ્રકારની દવા કે ઇંજેક્શન આપશો નહિ. એટલું જ નહિ પણ મારા શરીરને અડશો પણ નહિ... અને તેઓ જાણે કે બેશુદ્ધ થઈ ગયા! કે નવકાર મૈયાની ગોદમાં આળોટી) ગયા!) અને બરાબર ૭૨ કલાકે તેઓ સ્વયં ભાનમાં આવી ગયા ત્યારે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ. હતા!... ડૉક્ટરો પણ આ જોઈ મોંમાં આંગળા નાખી ગયા!
ચોમ
સં. ૨૦૨૭માં ઊંઝા સંઘના આગ્રહથી તેઓશ્રીનું ચાતુર્માસ ઊંઝામાં નક્કી થયું હતું.
નવકાર મંત્ર અમૃતતણાં, થયાં છાંટણાં જ્યાય; પાતક ટળે છે તેહનાં, પામે શીતળ છાંય.’-૫૩
૧૧૨