________________
૧૩
તે છે, જેનર્મફીલેફી. ખેદની વાત એ છે કે જેને કેટલાક વર્ગ આ ફિલેસોફી માટે ફક્ત ગૌરવ લેવામાં જ ઇતિકર્તવ્યતા માની બેઠેલ છે ! ભયંકર રોગથી પીડાતો આત્મા ઘરમાં રહેલ પૂર્ણ આરે ગ્યપ્રદ અમૃતકુંપાના દર્શન માત્રથી જ સંતોષ માને એના જેવું જ આ કહેવાય. આજે દેશ પરદેશના અનેક જીજ્ઞાસુઓ “જન કર્મ સિદ્ધાંત’ જાણવા આતુર છે. એ માટે સરલ ભાષામાં સમજાય તેવા ગ્રંથની સમયની માગ છે. લેકેની ભૂખ છે, એવા અવસરે, માસ્તર ખુબચંદ ભાઈએ “જૈન દર્શનને કર્મવાદ” નામે આ ગ્રંથ લખી, બહાર પાડી, અવસરોચિત સુંદર કાર્ય કર્યું છે. તેઓ કર્મગ્રંથાદિ દિવ્યાનુગના અભ્યાસી શિક્ષક છે, અને સદર વિષયની તેમની લેખમાલા પ્રસિદ્ધ કલ્યાણ માસીકમાં આદર પ્રશંસાને પામી છે,
ભૌતિક ભૂતાવળમાં ભરાયેલા ભવ્યાત્માઓને જાણે “રૂક જાવ” ને આદેશ આપી આ ગ્રંથ ચીમકી રૂપ સર્ચલાઈટ ધરે છે. દુર્લભ અને ઉત્તમ માનવ ભવની સાચી સાર્થકતા જીવનમાં કઈ રીતે થાય તે માટે, આધ્યાત્મિક દીવાદાંડી બતાવે છે. જો કે જેના દર્શનના કર્મવાદને વિષય એટલે ઊંડે ગહન અને વિવિધતાથી ભરેલો છે કે કેણુ તેનો પાર પામી શકે ? એમાં કેટલીક એવી ઝીણું વાત આવે છે કે સામાન્ય કેટીના આત્માઓ પાછા પડે અને કંટાળી જાય. રખે આને સંપૂર્ણ કર્મવાદ માની લેતા ? સિંધુના બિંદુ જેમ આમાં મુખ્ય વિષય બહુ સરસ સમજાય તેમ વર્ણવ્યા છે. કર્મગ્રંથની ગહનતાના હિસાબે ભાષા સરલ છે. વાંચકને જાણવાનું વિચારવાનું ને આચરવાનું આમાંથી ઘણું મળશે. કેમ કે—
છે
.
-
-
-
-:
પહેલા જ પ્રકરણમાં આત્માની સ્વભાવદશા અને બીજામાં વિભાવ દશા કોને કહેવાય તે સ્પષ્ટ વર્ણવી છે. તે વિભાવ દશા જ સસારી જીવને દુઃખનું કારણ હોઈ, વિભાવદશા પ્રાપ્ત થવાનાં કારણો