________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ છે, અને તે સાત્ત્વિક પરિણામમાં પુરુષની ચિછાયા પ્રતિસંક્રાંત થાય છે, તેથી તે નિર્મળ ચિત્ત પુરુષને અંતઃસંવેદ્ય બને છે, અર્થાત્ ચિત્તમાં જે સુખ, દુઃખ અને મોહના પરિણામો છે તે મને થાય છે, એ પ્રકારે પુરુષને અંતઃસંવેદ્ય બને છે, પરંતુ એ રીતે ઈશ્વરને થતું નથી; કેમ કે ઈશ્વરને કેવલ જ સાત્ત્વિક પરિણામ ભોગ્યપણારૂપે વ્યવસ્થિત છે.
આનાથી એ ફલિત થાય છે કે, ચિત્તમાં વર્તતા સુખ, દુઃખ અને મોહના પરિણામરૂપે સંસારી જીવોને ગૌણ-મુખ્યભાવથી સાત્વિક, રાજસ અને તામસ ભાવોનું વેદન છે. કેવલ સાત્ત્વિક પરિણામનું વેદન નથી, જ્યારે ઈશ્વરને કેવલ સાત્ત્વિક પરિણામ ભોગ્યરૂપે વ્યવસ્થિત છે. તેથી સંસારીજીવોની જેમ ઈશ્વર ચિત્તના ભાવોનું વેદન કરનાર નથી, પરંતુ શુદ્ધસત્ત્વનું ઈશ્વરને અનાદિથી વેદન છે માટે ઈશ્વરને જ્ઞાનાદિ અપ્રતિઘ અને સહજસિદ્ધ છે.
હવે ઈશ્વરને અનાદિના જ્ઞાનાદિ ચારભાવોરૂપે સ્વીકારવાની યુક્તિ બતાવે
સંસારી જીવોને પ્રકૃતિનો સંયોગ છે, અને યોગની સાધના દ્વારા પ્રકૃતિનો વિયોગ પ્રાપ્ત થાય છે. આ સંયોગ અને વિયોગ ઈશ્વરની ઇચ્છા વગર થઈ શકે નહિ; તેથી પ્રકૃતિના સંયોગ અને વિયોગને કરનાર એવા અનાદિ જ્ઞાનાદિવાળા ઈશ્વર છે એ પ્રમાણે સિદ્ધ થાય છે. ll અવતરણિકા :
શ્લોક-૨માં ઈશ્વરમાં અપ્રતિઘ એવા જ્ઞાનાદિ ચાર ભાવો છે તેમ બતાવ્યું, અને શ્લોક-૨ની ટીકામાં સ્પષ્ટ કર્યું કે, ઈશ્વરને કેવલ સાત્વિક પરિણામ ભોગ્યપણારૂપે વ્યવસ્થિત છે. હવે ઈશ્વરને સાત્વિક પરિણામ હોવા છતાં સર્વજ્ઞપણું કેમ છે તે પાતંજલમત પ્રમાણે બતાવે છે – બ્લોક :
सात्त्विकः परिणामोऽत्र काष्ठाप्राप्ततयेष्यते । नाक्षप्रणालिकाप्राप्त इति सर्वज्ञतास्थितिः ।।३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org