Book Title: Ishanugrahavichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 142
________________ ૧૦૭ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૯ અન્વયાર્થ: તસ્મા–તે કારણથી-આર્થવ્યાપારને આશ્રયીને ઈશ્વરનો અનુગ્રહ છે અને તે અનુગ્રહ સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી થાય છે તે કારણથી, દૃષ્ટાર્થીવિરોધનઃ=દષ્ટ, ઈષ્ટ અર્થતા અવિરોધી એવા શાસ્ત્ર—શાસ્ત્રથી ચોદવિચારસંતિ—સ્યાદ્વાદવ્યાયથી સંગત સી=સમ્યમ્ મારા આચરણ શસ્થ ઈશનો ઈશ્વરનો, અનુદા=અનુગ્રહ છે. ર૯ શ્લોકાર્ચ - તે કારણથી દષ્ટ, ઈષ્ટ અર્થના અવિરોધી એવા શાસ્ત્રથી સ્યાદ્વાદન્યાયથી સંગત સમ્યમ્ આચરણ ઈશ્વરનો અનુગ્રહ છે. llll ભાવાર્થ :દષ્ટ-ઇષ્ટ અર્થના અવિરોધી એવા શાસ્ત્રથી સ્યાદ્વાદન્યાયથી સંગત સખ્ય આચરણ ઈશ્વરનો અનુગ્રહ :- . અતીન્દ્રિય પદાર્થોનો છબસ્થ જીવો શાસ્ત્રથી, તર્કથી અને સ્વાનુભવના બળથી કાંઈક નિર્ણય કરી શકે છે, તેથી જેઓ મધ્યસ્થતાપૂર્વક શાસ્ત્રની પરીક્ષા કરીને સર્વજ્ઞકથિત શાસ્ત્રનો નિર્ણય કરે, અને તે સર્વજ્ઞકથિત શાસ્ત્ર દૃષ્ટ, ઇષ્ટ અર્થનો અવિરોધી છે, તેવો નિર્ણય થવાથી બુદ્ધિમાનને નિર્ણય થાય કે, આ શાસ્ત્ર સર્વજ્ઞકથિત છે, અને તેવા શાસ્ત્રથી જે યોગીપુરુષો સ્યાદ્વાદન્યાયથી સંગત એવી સમ્યગુ આચરણ કરે તેમને ઈશ એવા તીર્થકરોનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. આશય એ છે કે, તીર્થકર વીતરાગ સર્વજ્ઞ છે અને તેમણે જે કાંઈ ઉપદેશ આપ્યો છે તે સ્યાદ્વાદ ન્યાયથી સંગત છે, અને તેમનો સર્વ ઉપદેશ યોગ્ય જીવોને પોતાના તુલ્ય કરવા અર્થે છે, તેથી તેમના ઉપદેશ અનુસાર જે જીવો સર્વસંયમની ઉચિત આચરણ કરે છે તે જીવો તે આચરણના બળથી વિતરાગભાવથી ભાવિત બને છે, અને અનાદિના અવીતરાગભાવના જે સંસ્કારો તેમના આત્મામાં પડેલા છે તે ક્યુસર નાશ પામે છે, અને વીતરાગભાવને અનુકૂળ ઉત્તમ સંસ્કારો તે ચારિત્રાચારની ક્રિયાથી આધાન કરીને સંસારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152