________________
मकारि'' इत्यादि । कथं च जिनशासनप्रभावनाकारिणो म्लेच्छा अप्यनुमोद्यन्त? इत्याद्यनाग्रहबुद्ध्या पर्यालोचनीयम् । इति प्रश्नावत्रोत्तरे-तृतीयचतुर्थ-प्रश्नप्रतिवचनं तु द्वादशजल्पपट्टकादवसेयम् । किञ्च ''सवं पि निरत्ययं तस्स'' इत्यादिवचनस्याऽऽपेक्षिकत्वान्नैकान्तवादः । अपेक्षा च मोक्षफलाभावलक्षणेतिभावः। अन्यच्च महानिशीथप्रसिद्धालापकमुपष्टभ्यैकान्तेन परपाक्षिकप्रशंसानिषेधः सोऽपि न सङ्गच्छते, यतस्तस्मिन्नेवालापके 'अहिमुहमुद्धपरिसामज्झगय(म)सलाहेज्जा' इतिवचनेनाभिमुखमुग्धपर्षद्विशेषमध्य एव तच्छलाघाया निषेधः प्रतिपादितोऽस्ति न तु सामान्यपर्षदीति । किश्चात्रार्थे ऊहप्रत्यूहादिबहुवक्तव्यमस्ति तत्तु साक्षान्मिलन રવ સમીવીનતામંચનીતિ II૧-૪૨-૪રૂા.
પ્રશ્ન :- (અ) કેટલાકો, પ્રભુની આજ્ઞાનું ખંડન કરનાર કોઈ આત્મા મોટી વિભૂતિથી ત્રણે કાલ વીતરાગની પૂજા કરે છતાંય તેનું તે સર્વ નિરર્થક છે.” વળી આજ્ઞાપૂર્વક તપ કરવામાં આવે, સંયમ પણ આજ્ઞાપૂર્વક થાય, તેમજ દાનાદિ પણ આજ્ઞાદિ પૂર્વક કરવામાં આવે તો તે સફળ છે, આજ્ઞા રહિત ધર્મ ઘાસના પૂળા જેવો શોભે છે.” “અજ્ઞાન મિથ્યાષ્ટિઓની કરણી સમ્યગ્દષ્ટિઓની કરણીના મુકાબલે એક આની કીંમતની પણ નથી,' ઈત્યાદિ વચનોના આલંબનથી સાંખ્યાદિ અન્ય દર્શનોમાં જેઓ અજ્ઞાન તપ વગેરે કષ્ટ ક્રિયાઓ કરે છે, તે સઘળું નિષ્ફળ જ થાય છે, તેનાથી જરા પણ નિર્જરા થતી નથી, એમ માને છે. ' (આ) કેટલાકોનું વળી એમ માનવું થાય છે કે—તેઓની (અન્ય દર્શનીઓની) પણ કરેલી કષ્ટ ક્રિયાનું તરતમ ભાવે અલ્પ પણ ફળ હોય છે, સાવ નિષ્ફળતા નથી. આગમમાં કહ્યું છે કે –“અજ્ઞાની જે કર્મને ઘણાં ક્રોડ વર્ષોએ કરીને ખપાવે છે, તે કર્મને.ત્રણ ગુપ્તિ-મન, વચન અને કાયગુપ્તિએ ગુપ્ત જ્ઞાની મુનિ શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે છે.” “એક આની કીંમત નથી,' ઈત્યાદિ ઉક્ત શ્લોકોનું પણ એ જ ભલે અત્યલ્પ, છતાં પણ ફલપ્રદર્શક-તાત્પર્ય છે. વળી “અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ આત્માઓ, તેમજ બાલતપસ્વી, અકામનિર્જરા કરનાર દેવનું આયુષ્ય ઉપાર્જન કરે છે,” તથા “સરાગ સંયમથી અને બાલતપથી દેવલોકમાં જવાય છે,’ ચરક પરિવ્રાજક બ્રહ્મ દેવલોક સુધી જાય છે,’ ઈત્યાદિ વચનોથી પણ અન્યમતિઓને થતા ક્રિયાફલની પ્રતીતિ થાય છે. આથી જ કોડિન્ન દિન્ન સેવાલિ નામના બાલતપસ્વીઓને પણ પોતપોતાના તપના અનુસાર જ ફલ મળેલું છે. સર્વથા નિષ્ફળ માનીએ તો ઉપર કહેલા સઘળાઓને ફલના અભાવની પ્રાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. વળી કર્મની લઘુતા કર્યા વિના મિથ્યાત્વીઓ “ગ્રન્થિદેશ પર્યત આવે પણ કેવી રીતે? માત્ર અકામ નિર્જરા જ તેમાં કારણ છે એમ નથી, અન્ય કારણો પણ ભગવતીસૂત્રની