Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જનધર્મમાં માનવસેવા જીવદયા તથા રાષ્ટ્રચિતના ની નેસ્તના .
– હર્ષદ મહેતા (એમ.એ.) (મુંબઈમાં ટેક્ષકન્સલટન્ટ છે જૈન જ્ઞાનસત્રો, સેમીનાર અને જૈન સાહિત્ય સંમેલનમાં અભ્યાસપૂર્ણ લેખો લખે છે.)
જન ધર્મ અહિંસા પ્રધાન ધર્મ છે. આપણા સર્વે અનુષ્ઠાનોમાં કેન્દ્રમાં જીવદયા અને અહિંસાધર્મનું સૂક્ષ્મ પાલન બતાવ્યું છે. પંચ મહાવ્રત ધારી સર્વવિરતિ સાધુ ભગવંતો માટે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે અહિંસાનું પાલન કરવાનો પ્રભુનો આદેશ છે. જ્યારે શ્રાવક શ્રાવિકાઓએ ગૃહસ્થ ધર્મનું પાલન કરવાનું હોવાથી તથા સંપૂર્ણ અહિંસક જીવન જીવવાની અશક્તિના કારણે ભલે સર્વાગી નહીં, તો બને તેટલી અહિંસાનું પાલન કરવાનો આદેશ છે.
સર્વે જીવો જીવવા જ ઈચ્છે છે. કોઈને મરવું ગમતું નથી. ગમે તેટલો દુઃખી જીવ પણ જીવવા ઇચ્છે છે. દશવૈકાલિક સૂત્ર ૬ઠ્ઠા અધ્યયનની ૧૦મી ગાથા કહે છે.
सबे जीवा वि इछति, जीविऊ न मरिजिउं ।
तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ।। જ્ઞાની ભગવંતોએ આપણને એવું જીવન જીવવાનો આદેશ આપેલ છે કે સર્વ રોજિંદી ક્રિયા એવી રીતે કરો કે ઓછામાં ઓછી જીવ વિરાધના થાય. તેમ છતાં જાણતાં અજાણતાં થયેલ જીવ વિરાધના બદલ તેનું પ્રાયશ્ચિત્ત લઈ ફરી તે દોષ ન લાગે તે બદલ સાવચેતી રાખવાનું ફરમાન છે.
નાં રે નાં વિજે, ગયા વર્ષ સ ! जयं भुंजतो भासंतो, पाव कम न बंधई ।।
શાનધારા
(૮૯)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org