Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ તેથી હવે “વિશે એ એક જ રૂપ સ્વીકારી લેવું વાજબી છે. આ જ રીતે દુભાષિય” નહિ, પણ “દુભાશિ' સ્વીકાર્ય બને છે.
[ સાનુનાસિક નિરનુનાસિક ઈ-] ૧૮. તદ્દભવ શબ્દોમાં અંત્ય ઈ તથા ઉ, સાનુસ્વાર કે નિરનુસ્વાર, એ અનુક્રમે
દીધું અને હસ્વ લખવાં. ઉદા. ધી; છું; શું; તું; ધણ વીછી; અહીં દહીં; પિયુ; લાડુ; જુદું.
નોંધ–સામાન્ય રીતે ગુજરાતીમાં ૨ અથવા રુ લખવાનો રિવાજ નથી; રૂ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હૃસ્વ ર લખવાનું હોય ત્યાં છે અથવા રુ લખવું. ઉદા. છોકરું–છોકરું –બરું.
અપવાદ-એકાક્ષરી શબ્દોમાં નિરનુસ્વાર ઊ દીર્ધ લખ. ઉદા , ,
૧૯. અનંત્ય ઈ તથા ઊ પર આવતા અનુસ્વારને ઉચ્ચાર પિચો થતો હોય ત્યારે
ઈ કે ઊ દીર્ઘ લખવાં. ઉદાઇડું; હીંડાડ; ગૂંચવાવ, સીંચણિયું, પીંછું; લૂંટ; પૂંછડું; વરસુંદ; મીંચામણું અપવાદ–કુવા, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું.
સાનુસ્વાર” કે “નિરનુસ્વાર એ સંજ્ઞાથી “સાનુનાસિક” અને નિરનુનાસિક” ઈ–ઉ સમઝવાના છે. સ્વ. નરસિંહરાવે પણ આ ભૂલ કર્યા પછી તેમને માલૂમ પડેલું કે અનુસ્વાર અને અનુસ્વારનો કોમળ ઉચ્ચાર એ જુદી વસ્તુ છે. અનુસ્વારને કહેવાતો કમળ ઉચ્ચાર તે અનુનાસિક, કે કોઈ “નાસિક્ય” કહે છે તે છે. અનુસ્વાર એ સ્વર પછી વધી પડતું ઉચ્ચારણ છે, જ્યારે માત્રામાં કોઈપણ વૃદ્ધિ ન કરતે નાકમાંથી બોલાતો હસ્વ કે દીર્ઘ સ્વર એ સાનુનાસિક છે. એટલે ૧૮-૧૯ એ બેઉ નિયમમાં અનુસ્વારથી સાનુનાસિક ઉચ્ચાર જ સમઝવાનો છે. અને તેની જ અહીં વાત છે.૧
૧. ગુજરાતી શબ્દોના ઉચ્ચારણુમાં વધુમાં વધુ મૂંઝવનારે પ્રશ્ન હૃસ્વ કે દીધું “ઈ-8 ને છે. કયાં એ હસ્વ ઉચ્ચારાય છે અને કયાં એ દીર્ધ ઉચ્ચારાય છે એ પ્રચલિત ઉચ્ચારણે ઉપરથી સામાન્ય રીતે નક્કી કરવું વિકટ છે. ખાસ કરીને દીધું ક્યાં એ નક્કી કરવું તે ખૂબ જ મુશ્કેલ છે. અહીં ૧૮ મા નિયમમાં અંત્ય સાનુનાસિક “ઈ–ઉ” માં ઉચ્ચારણની દૃષ્ટિએ લેશ પણ ભેદ નથી; એટલું જ નહિ ઈ” કે “g' પિતે સાનુનાસિક હોય કે નિરનુનાસિક હોય, તેઓના ઉચ્ચાર