Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિશ્તાવલિ - વિદેહ ગ્રંથકારી
18
"
રેલ્વે સ્ટેશન સામે ‘ રેવાબાઈ ધર્મશાળા ' બંધાવીને તે જીલ્લા વાકલ ખેર્ડને અર્પણ કરી છે. પત્નીને નામે કાશીમાં તેમણે એક વિશાળ ધર્મશાળા બંધાવી છે અને દ્વારકા એટમાં નાની ધર્મશાળા બંધાવી છે. રેવાબાઈ ડિસ્પેન્સરી ' ( રાયપુર ), પાલડી મ્યુ. ડિસ્પેન્સરી તથા લાયબ્રેરી, ‘ભાઈશંકર નાનાભાઈ લાયબ્રેરી ’ ( રાયપુર ) અને જમાલપુરમાં મ્યુ. બાગ, એ બધાં તેમનાં જ દાનાનાં ફળરૂપ છે. આ ઉપરાંત તે વિદ્યાર્થીઓને સ્કાલરશીપ વગેરે દ્વારા આર્થિક મદદ કરતા, અને ગુ. વ. સેાસાયટીને વિદ્યાર્થીઓને ઈનામ તથા સ્કોલરશીપ આપવા માટે મેાટી રકમ ટ્રસ્ટ તરીકે સાંપી છે. વિશેષમાં મુંબઈમાં પણ તેમણે કેટલાંક દાના કા છે.
વ્યવસાયની સાથે સાથે તેમના સાહિત્યરસ પણુ વાંચન તથા લેખન દ્વારા વહેતા. તેમણે પૂર્વાવસ્થામાં કેટલાક છૂટા નિબંધેા લખેલા અને વ્યવહાર તથા નીતિના શ્વેાકેાનાં સમથ્યાકી ભાષાંતર કરેલાં. તેમનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકા નીચે મુજબ છે :
.
(૧) કામનાથ તે રૂપસુંદરી (નાટક), (૨) સંસાર દુઃખદર્શન (નાટક), (૩) રંભા—રતિલાલ ત્રાટક ( અલંકારપ્રધાન ), (૪) વ્યવહાર મયૂખભાષાંતર, (૫) શિવલક્ષ્મી ને દીપચંદ્ર શાહ ( સુધારક લગ્નવિશિષ્ટ વાર્તા ), (૬) મારા અનુભવની નોંધ (નોંધપેાથીની .તારવણી).
આ ઉપરાંત હું મહાભારત ”નું સાદ્યંત ભાષાંતર પ્રસિદ્ધ કરવા માટે તથા “સ્વદેશવત્સલ” માસિક પત્ર ચલાવવા માટે તેમણે સ્વ. મણિશંકર મહાનંદને સારી પેઠે સહાય કરેલી.
ભાગીલાલ ત્રિકમલાલ વકીલ
જીલ્લામાં આવેલા
સ્વ. ભાગીલાલ ત્રિકમલાલ વકીલના જન્મ ખેડા તેમના વતન આસાદરમાં સં. ૧૯૧૦ ના માગશર વદ ૦)) તે દિને થયેા હતા. તે સાઠેદરા નાગર ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ ત્રિકમલાલ જમરામ અને માતાનું નામ કાશીબા હતું.
તેમણે મેટ્રીક સુધીનું શિક્ષણ અમદાવાદની મિશન હાઈસ્કૂલમાં લીધું હતું. પાલનપુર એજન્સીના વકીલની તથા વડેદરા રાજ્યની પ્રાંતન્યાયાધીશીએના વકીલની પરીક્ષાએ પસાર કરીને તેમણે સનદ મેળવી હતી. વકીલ તરીકે વડાદરા રાજ્યની સારી સેવા બજાવ્યા બદલ મહુમ મહારાજા સયાજીરાવે તેમને વરિષ્ઠ ન્યાયાધીશના વકીલ તરીકેની સનદ ઉપરાંત રૂા. ૩૦૦ ઇનામ આપ્યું હતું. વૈદકના ધંધા તે પરમાર્થ માટે કરતા અને અ.