Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૧૦
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
કહી શકાય તેવા હતા. એ જોવાને આપણા દેશના તેમજ યુરેાપ–અમેરિકાના અનેક ઇતિહાસ-કલાપ્રેમી વિદ્વાના આવતા. એમના એ અણુમાલ સંગ્રહસ્થાનના એક મહત્ત્વનેા ભાગ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં છે, અને ખીજો એમના પુત્ર પાસે છે.
એ જ કલાપ્રેમે એમની પાસે કઢાવેલું મુંબઈનું જાણીતું ‘લક્ષ્મી આર્ટ પ્રિન્ટિંગ પ્રેસ' તથા તેનાં કલામય પ્રકાશને તે જનતામાં બહુ ાઁડે સુધી એમનું નામ પ્રસારી ગયાં છે. આ ઇલાકામાં સચિત્ર સાહિત્યપ્રકાશનને જ્યારે કેવળ અભાવ હતો એ કાળમાં ‘સુવર્ણમાળા’ નામનું સામયિક ચિત્રપ્રકાશન પ્રકટ કરવાના અને તે પછી સુંદર ચિત્રોવાળાં સુશેાભિત પુસ્તકા પ્રથમ બહાર પાડવાના જશ પણ એમને વર્યાં છે.
અમદાવાદની છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમથી ચેાજાએલા કલાપ્રદર્શનને અધ્યક્ષસ્થાનેથી એમણે આ દેશની તળપદી કળાઓના અભ્યાસ અને સમુદ્દાર વિષે મનનીય ભાષણુ આપ્યું હતું; અને મુંબઈની ખીજી સાહિત્ય પરિષદના સત્કાર-પ્રમુખ તરીકે પણ તેમણે વિદ્વત્તાભરેલે લેખ વાંચ્યા હતા. ત્રીજી સાહિત્ય પરિષદમાંના ઐતિહાસિક સાહિત્યનું સ્વરૂપ ' નામને નિબંધ પણ મનનીય છે.
"
આ ઉપરાંત દક્ષિણ હિંદના પ્રસિદ્ધ શાસ્ત્રીજી શ્રી. ટી. સુખારાયા અનેકલ પાસેથી એમણે આપણાં જૂનાં વિજ્ઞાનનાં શાસ્ત્રોના પણ ઉતારા
કરાવ્યા હતા.
પેાતાની ભાટિયા જ્ઞાતિની ઉન્નતિ માટે પણ એમણે સતન પ્રય કર્યાં હતા, અને જ્ઞાતિની સેવામાં તેમના તંત્રીપદ નીચે ‘ ભટ્ટી હિતેચ્છુ ' માસિક નીકળતું. અનેક ઊગતા કલાકારે। તથા સાહિત્યકારાને આર્થિક તેમજ ખીજી સહાય કરીને તેમણે પેાતાના ધનનેા સાથે વ્યય કર્યાં હતા. સાહિત્ય તેમજ કળાનાં ક્ષેત્રામાં તથા ખીજાં લેાકેાપયેગી કાર્યોંમાં આપેલી આ સેવાની કદરશનાસીમાં વડાદરા રાજ્ય તરફથી તેમને રાજ્યરત્ન 'મા લ્કિાબ આપવામાં આવ્યેા હતેા.
"
સંવત ૧૯૮૫ ના જ્યેષ્ઠ વિદ ૧૧, તા. ૩ જી જુલાઈ ૧૯૨૯ના રાજ મુંબઈમાં એમનું અવસાન થયું. એમના પ્રથમ ગ્રંથ ઈ. સ. ૧૮૯૮ માં—સંવત ૧૮૫૪ માં પ્રસિદ્ધ થયેા. એમના ગ્રંથાની સમગ્ર યાદી નીચે મુજબ છે :
વિ. સં. ૧૯૫૪
૧૯૫૬
૧૯૫૭
(૧) રજપુતાનાનાં દેશી રાજ્યા (ર) રણવીરસિંહ
(૩) પ્રખેાધ ભારત, ૧–ર
19
99